Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૧૦ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા

ભાગવત રહસ્ય-૧૦

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" - ૧૦


ભાગવત માહાત્મ્ય (ચાલુ)


વ્યાસાશ્રમ માં આરંભ માં વ્યાસજી એ ગણપતિ મહારાજ નું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા.


વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત શાસ્ત્ર ની રચના કરવી છે. પણ લખે કોણ?


ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.


ગણપતિની વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.


સતત ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.


પ્રત્યેક કાર્ય ના આરંભ માં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિ નું પૂજન કરવું એટલે


જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે કે-હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી.


ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિ એ કહ્યું –હું એક પળ પણ નવરો નહિ બેસું.


ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે. ત્યારે વ્યાસજી એ કહ્યું-હું જે બોલું છું તે યોગ્ય છે કે અયોગ્ય-તે વિચારી-


વિચારપૂર્વક લખજો. સો શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ-શ્લોક મુકે છે. તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે,ત્યાં વ્યાસજી પોતાના બીજાં કાર્યો પતાવી લે છે.


ભાગવતમાં અનેક વાર એવા પ્રસંગો આવે છે,તેનો વક્તા-શ્રોતા વિચાર કરે.તેનો લક્ષ્યાર્થ શું છે?


લખ્યું છે કે-ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી.


સંસારના વિષયો મનમાં રાખે છે તે જ ચિત્રકેતુ છે.સંસાર ના સર્વ ચિત્રો જેના મન માં બેસી ગયાં છે, તે ચિત્રકેતુ છે.


તે મન જયારે સંસારમાં તન્મય બને છે, ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને—એટલે એક કરોડ રાણી સાથે રમણ


કરે છે, તેવો ઉદ્દેશ છે.


કોઈ વાર વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે. લખ્યું છે કે-


હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ ના રોજ ચાર હાથ વધતા. ગણપતિ દાદા એ વિચાર કર્યો-કે- આમ રોજ ચાર હાથ


વધે તો શું દશા થાય? ઘરનું છાપરું તોડવું પડે. તેના મા-બાપ ની શું દશા થાય? આજે સિવડાવેલ ઝભલું કાલે કામ ના આવે.!!! દહાડે દહાડે લોભ વધે છે --તે તત્વ બતાવવાનો –આનો ઉદ્દેશ છે. 


સત્કર્મ માં વિઘ્ન આવે છે,તેથી સાત દિવસનો કથાનો ક્રમ બતાવ્યો છે. સુત અને શૌનકાદિક ની કથા એક હજાર વર્ષ


ચાલેલી. વિઘ્ન ના આવે તે માટે વ્યાસજી પ્રથમ –શ્રી ગણેશાય નમઃ-ગણપતિ ને વંદન કરે છે. તે પછી સરસ્વતીને


વંદન કરે છે. સરસ્વતી ની કૃપા થી મનુષ્ય માં સમજ આવે છે. સદગુરુને વંદન કરે છે. તેપછી ભાગવત ના પ્રધાન દેવ


શ્રી કૃષ્ણ ને વંદન કરે છે.


ભાગવત ની રચના થયા પછી,ગ્રંથ નો પ્રચાર કોણ કરશે તેની વ્યાસજી ને ચિંતા થઇ.


વૃદ્ધાવસ્થા માં મેં આ ગ્રંથ ની રચના કરી છે(એટલે પોતે આ ગ્રંથ નો પ્રચાર કરી શકવાના નથી.) તો આ ગ્રંથ હું કોને


આપું?  ભાગવત મેં માનવસમાજ ના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવત ની રચના કર્યા પછી મેં કલમ મૂકી દીધી છે.


બહુ બોલ્યા-બહુ લખ્યું, હવે સંપૂર્ણ પણે ઈશ્વર સાથે સંબંધ જોડીશ. પ્રભુ થી વિખુટા પડેલ જીવો મારા શ્રીકૃષ્ણ ના


સન્મુખ આવે તેમતે મેં ભાગવતશાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, પ્રેમશાસ્ત્ર  નો પ્રચાર જે અતિ વિરક્ત હોય તે જ કરી શકે. સંસાર ના જડ પદાર્થો સાથે જે પ્રેમ કરે તે ભાગવત નો પ્રચાર કરી શકે નહિ.


જ્ઞાન કરતાં શ્રીકૃષ્ણ –પ્રેમ –જ શ્રેષ્ઠ છે. પુસ્તક વાંચવાથી જ્ઞાની થવાય પણ પ્રભુ પ્રેમી થવાતું નથી. અને પ્રભુપ્રેમી


થયા વિના જ્ઞાન માં દઢતા આવતી નથી. જીવન કૃતાર્થ થતું નથી.


શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈને પ્રેમ કરનાર આ કથા નો અધિકારી નથી.


આવો કોણ મળે??સંસાર ના કોઈ વિષયો પ્રત્યે રાગ ના હોય તેવો જન્મ થી વૈરાગી કોણ મળે??


સંસાર સુખ બોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે,પણ જન્મ થી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે?


કોઈ લાયક પુત્ર ને આ જ્ઞાન આપી દઉં, જેથી તે જગતનું કલ્યાણ કરે. આ વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજી ને પુત્રેષણા


જાગી છે.


ભગવાન શંકર વૈરાગ્યનું  સ્વરૂપ છે.રાધા-કૃષ્ણ,લક્ષ્મી-નારાયણ –બધાં સાથે વિરાજે છે. પણ શંકર –પાર્વતી સાથે


વિરાજતા નથી. એતો વિષ્ણુ ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે-લગ્ન કર્યા. પણ પાર્વતી ને કહ્યું—એક ખૂણા માં તમે ધ્યાન કરો –અને એક ખૂણા માં હું ધ્યાન કરું.


વ્યાસજી એ વિચાર્યું-શિવજી ની મારા પર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે,તો આ કાર્ય થાય.


રુદ્ર નો જન્મ છે પણ મહારુદ્ર નો જન્મ નથી. ભગવાન શિવ પરબ્રહ્મ છે. તેમનો જન્મ નથી.


શિવજી મહારાજ જન્મ ધારણ કરે તો આ ભાગવત નો પ્રચાર કરે.


ભગવાન શંકર નિરપેક્ષ છે.જગતને જેની અપેક્ષા છે,તેનો શિવજી ત્યાગ કરે છે.


ગુલાબના ફૂલ માટે કોઈ ઝગડો કરે પણ ધંતુરા ના ફૂલ માટે ઝગડો થાય ખરો ?


વ્યાસજી એ શંકર ની આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા.વ્યાસજી એ માગ્યું—


સમાધિ માં જે આનંદ આપ ભોગવો છે,તે જગતને આપવા મારે ઘેર પુત્ર રૂપે પધારો.


ભગવાન શંકર ને આ સંસારમાં આવવાનું ગમતું નથી. સંસારમાં માં એકવાર આવ્યો તેને  ક્રોધ  થપ્પડ મારે છે,કામ થપ્પડ મારે છે. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે. કોલસાની ખાણ માં જાય તો હાથ પગ કાળા થયા વગર રહેતા નથી.


માયા થી દૂર રહેવું તે નિવૃત્તિ ધર્મ નો આદર્શ છે. શિવજી નિવૃત્તિ ધર્મ ના આચાર્ય છે.


માયા સાથે હોવા છતાં -માયાથી આશક્ત ન થવું -તે શ્રીકૃષ્ણ બતાવે છે.અ શ્રીકૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ ના આચાર્ય છે.


તેઓ કહે છે કે-માયા સાથે રહેવું પણ માયા થી અલિપ્ત રહેવું.


શિવજી કહે છે કે—ના-ના-માયાથી અલિપ્ત નહિ –માયા થી દૂર રહેવું-એ જ વધારે સારું છે.


વધારે અવતાર –શિવજી ના કે બ્રહ્મા ના થતા નથી,શ્રીકૃષ્ણ ના અવતાર વિશેષ થાય છે.જગતનું રક્ષણ કરવાનું કાર્ય


શ્રીકૃષ્ણ નું છે. તેથી ,શ્રી કૃષ્ણ ના અવતાર વિશેષ છે. શિવજી ને અવતાર ધારણ કરવાની ઈચ્છા નથી.


વ્યાસજી એ કહ્યું,-મહારાજ તમને આવવું નથી ગમતું, પણ અનેક જીવો નું કલ્યાણ કરવા આપ આવો.


તમને માયા શું અસર કરી શકવાની હતી ?


શિવજી એ વિચાર્યું—સમાધિ માં જે બ્રહ્માનંદ નો અનુભવ કરું છું-તે જગતને ના આપું તો એકલપેટો કહેવાઉં. મારે


જગતને સમાધિના આનંદ નું દાન કરવું છે. શિવજી અવતાર લેવા તૈયાર થયા.


શિવકૃપા થી વાટીકાજી ને ગર્ભ રહ્યો છે. શુકદેવજી ભગવાન શિવ નો અવતાર હતા,એટલે જન્મ થી પૂર્ણ નિર્વિકાર છે.


શુકદેવજી ના જન્મ ની કથાઓ અન્ય પુરાણો માં છે. શુકદેવજી સોળ વર્ષ સુધી મા ના  પેટમાં રહ્યા છે.


મા ના પેટમાં સોળ વર્ષ સુધી સતત પરમાત્મા નું ધ્યાન ધર્યું  છે.


વ્યાસજી કહે છે કે-બેટા તારી મને બહુ ત્રાસ થાય છે, બહાર આવ-તું બહાર કેમ આવતો નથી ?


શુકદેવ જી એ જવાબ આપ્યો- હું સંસાર ના ભય થી બહાર આવતો નથી,મને માયાની બીક લાગે છે.


વ્યાસજી એ કહ્યું-કે હું તને આશીર્વાદ આપું છું કે તને માયા નહિ વળગે.


શુકદેવ જી એ કહ્યું કે-તમે પોતે પણ માયા માં ફસાયેલા છો,હું હજુ બહાર પણ આવ્યો નથી-તો પણ તમે મને


બેટા-બેટા કહો છો.જે માયામાં ફસાયેલા છે,તેના વચન પર હું કેમ વિશ્વાસ રાખી શકું ? જે પોતે ફસાયો છે તે બીજાને


કેમ છોડાવી શકે ?


વ્યાસજી એ પૂછ્યું કે –તો તને કોનો વિશ્વાસ બેસે ?


શુકદેવજી એ કહ્યું—જે માયા થી બિલકુલ ફસાયા ના હોય,જે માયા થી મુક્ત હોય –તે મને ખાતરી આપે તો હું બહાર આવું....વ્યાસજી એ માધવરાય ને પ્રાર્થના કરી. મા એટલે માયા અને ધવ નો અર્થ થાય છે પતિ.


માયા ના પતિ,માધવરાય –દ્વારકાનાથ વ્યાસાશ્રમ માં પધાર્યા છે. તમને શુકદેવજી ને ખાતરી આપી કે-


તમને માયા નો સ્પર્શ થશે નહિ. મારી માયા તમને વળગી શકશે નહિ.


તે પછી શુકદેવજી મહારાજ માતાન ગર્ભ માંથી બહાર આવ્યા છે. શુકદેવજી નું પ્રાગટ્ય થયું છે.


સોળ વર્ષ ની  અવસ્થા છે,બ્રહ્મ દર્શન કરતાં બ્રહ્મરૂપ થયા છે.


સંસાર માં એવા બે જ પુરુષો થયા છે. શુકદેવ અને વામદેવ. આ બે મહાપરુષો એવા છે કે જેમને માયા નો સ્પર્શ થયો નથી. મહા ગ્રંથો એવું વર્ણન કરે છે કે વ્યાસજી કરતાં –શુકદેવજી શ્રેષ્ઠ છે. શુકદેવજી શ્યામસુંદર છે,વાસનાનું વસ્ત્ર


પડી ગયું છે.શુકદેવજી એ મા ના પેટમાં સતત શ્યામસુંદર નું ધ્યાન કર્યું છે,તેથી વર્ણ શ્યામ થયો છે.


No comments:

Post a Comment