ભાગવત રહસ્ય-૨૨
પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર
આધારિત "ભાગવત રહસ્ય" - ૨૨
ભાગવત માહાત્મ્ય (ચાલુ)
ભાગવત ની કથા ત્રણ પ્રકારે કરવામાં આવે
છે.-આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક-રીતે.
જરા વિચાર કરો તો સમજાશે-કે-
માનવ કાયા - એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ
કરનારી અને તુંગ એટલે વધારે. માનવ કાયા દ્વારા જ મનુષ્ય
આત્મદેવ થઇ
શકે છે.આત્મા નો દેવ બને તે આત્મદેવ.
આત્મદેવ-એ જીવાત્મા છે. આપણે બધાં આત્મદેવ જેવા છીએ.
નર જ નારાયણ બને છે. મનુષ્ય શરીર માં રહેલો –જીવ-
દેવ બની શકે છે, અને ધારે તો બીજાને પણ દેવ બનાવી શકે છે. મનુષ્ય દિવ્ય જીવન ગાળે તો –દેવ-
બની શકે છે.
આત્મદેવ-આત્મા-જો પ્રભુ સાથે સંબંધ જોડે તો –જીવ-
દેવ- બને છે.
ધુંવા-પુવા કરનારી, કુતર્કો કરનારી ધુન્ધુલી –એ-બુદ્ધિ છે. જીવ માત્ર
ધુન્ધુલી(બુદ્ધિ) જોડે પરણે છે.
દરેકના ઘરમાં આ ધુન્ધુલી (બુદ્ધિ) છે. ધુન્ધુલી કથા
માં પણ તોફાન કરે છે. દ્વિધા બુદ્ધિ-દ્વિધા વૃત્તિ એ જ ધુન્ધુલી.
દ્વિધા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મ શક્તિ જાગૃત થતી
નથી.
બુદ્ધિ પારકી પંચાત કરે છે. પણ –હું કોણ છું ?મારો ધણી કોણ છે ?-એનો વિચાર બુદ્ધિ કરતી નથી. તે આત્મ-સ્વરૂપ નો
વિચાર કરતી નથી. બુદ્ધિ નો પતિ આત્મા છે.
બુદ્ધિ સાથે આત્મા નું લગ્ન થયું પણ –જ્યાં સુધી
તેણે કોઈ -મહાત્મા -ના મળે,સત્સંગ
ના મળે –ત્યાં સુધી-વિવેક –આવતો નથી.
વિવેક રૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક -એ જ આત્મા નો પુત્ર છે.
સંપત્તિ થી વિવેક આવતો નથી, સત્સંગ થી વિવેક આવે છે.
આત્મા અને બુદ્ધિ ના સંબંધ થી જો વિવેક રૂપી પુત્ર
નો જન્મ થતો નથી , તો
જીવ સંસાર રૂપી નદીમાં ડૂબી મરે છે.
વિવેકરૂપી દીકરો ન હોય તો જીવ સંસારમાં આત્મહત્યા
કરે છે.-એટલેકે તે –આત્મા નું કલ્યાણ કરી શકતો નથી.
તેથી તો આત્મદેવ ગંગાકિનારે ડૂબી મારવા જાય છે.
દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મા માં
છે. પણ આત્મ-શક્તિ જાગૃત કરવાની છે.
હનુમાનજી સમર્થ હતા,પરંતુ જામ્બવાને જયારે તેમને સ્વરૂપ નું ભાન કરાવ્યું
ત્યારેજ તેમને સ્વરૂપ નું ભાન થયેલું.
આત્મ-શક્તિ સત્સંગ થી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવન
માં દિવ્યતા આવતી નથી.
સંત મહાત્મા એ આપેલું –વિવેક રૂપી ફળ આ બુદ્ધિ ને (ધુન્ધુલીને)
ગમતું નથી.
બુદ્ધિ ની
નાની બહેન છે- મન.
બુદ્ધિ મન ની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેકવાર
આત્મા ને છેતરે છે. મન સ્વાર્થી છે.
મન કહે તે- ના- કરવું. સલાહ એક ઈશ્વર ની જ લેવી.
આત્મદેવ –મન-બુદ્ધિ નું કપટ સમજી શક્યો નહિ.
ફળ ગાયને ખવડાવ્યું. ગો –એટલે-ગાય-ઇન્દ્રિય-ભક્તિ
–વગેરે –અર્થ થાય છે. ફળ ગાયને –એટલે –ઇન્દ્રિય ને ખવડાવ્યું.
આખો દિવસ દ્રવ્ય સુખ અને કામસુખ નું ચિંતન કરે, પર-સ્ત્રી અને પર ધન નો વિચાર કરે,અને જેના જીવન માં ધર્મ -
પ્રધાન નથી ,પાંચ વિષયો- પાપ -થી ભોગવે છે –એ ધન્ધુકારી.
No comments:
Post a Comment