Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૨૨ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૨૨

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  - ૨૨





ભાગવત માહાત્મ્ય (ચાલુ)



ભાગવત ની કથા ત્રણ પ્રકારે કરવામાં આવે છે.-આધ્યાત્મિક-આધિદૈવિક-અને આધિભૌતિક-રીતે.



જરા વિચાર કરો તો સમજાશે-કે-



માનવ કાયા - એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. માનવ કાયા દ્વારા જ મનુષ્ય



આત્મદેવ  થઇ શકે છે.આત્મા નો દેવ બને તે આત્મદેવ.



આત્મદેવ-એ જીવાત્મા છે. આપણે બધાં આત્મદેવ જેવા છીએ. નર જ નારાયણ બને છે. મનુષ્ય શરીર માં રહેલો –જીવ-



દેવ બની શકે છે, અને ધારે તો બીજાને પણ દેવ બનાવી શકે છે. મનુષ્ય દિવ્ય જીવન ગાળે તો –દેવ- બની શકે છે.



આત્મદેવ-આત્મા-જો પ્રભુ સાથે સંબંધ જોડે તો –જીવ- દેવ- બને છે.



ધુંવા-પુવા કરનારી, કુતર્કો કરનારી ધુન્ધુલી –એ-બુદ્ધિ છે. જીવ માત્ર ધુન્ધુલી(બુદ્ધિ) જોડે પરણે છે.



દરેકના ઘરમાં આ ધુન્ધુલી (બુદ્ધિ) છે. ધુન્ધુલી કથા માં પણ તોફાન કરે છે. દ્વિધા બુદ્ધિ-દ્વિધા વૃત્તિ એ જ ધુન્ધુલી.



દ્વિધા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મ શક્તિ જાગૃત થતી નથી.



બુદ્ધિ પારકી પંચાત કરે છે. પણ –હું કોણ છું ?મારો ધણી કોણ છે ?-એનો વિચાર બુદ્ધિ કરતી નથી. તે આત્મ-સ્વરૂપ નો



વિચાર કરતી નથી. બુદ્ધિ નો પતિ આત્મા છે.



બુદ્ધિ સાથે આત્મા નું લગ્ન થયું પણ –જ્યાં સુધી તેણે કોઈ -મહાત્મા -ના મળે,સત્સંગ ના મળે  –ત્યાં સુધી-વિવેક –આવતો નથી. વિવેક રૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક -એ જ આત્મા નો પુત્ર છે.



સંપત્તિ થી વિવેક આવતો નથી, સત્સંગ થી વિવેક આવે છે.



આત્મા અને બુદ્ધિ ના સંબંધ થી જો વિવેક રૂપી પુત્ર નો જન્મ થતો નથી , તો જીવ સંસાર રૂપી નદીમાં ડૂબી મરે છે.



વિવેકરૂપી દીકરો ન હોય તો જીવ સંસારમાં આત્મહત્યા કરે છે.-એટલેકે તે –આત્મા નું કલ્યાણ કરી શકતો નથી.



તેથી તો આત્મદેવ ગંગાકિનારે ડૂબી મારવા જાય છે.



દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મા માં છે. પણ આત્મ-શક્તિ જાગૃત કરવાની છે.



હનુમાનજી સમર્થ હતા,પરંતુ જામ્બવાને જયારે તેમને સ્વરૂપ નું ભાન કરાવ્યું ત્યારેજ તેમને સ્વરૂપ નું ભાન થયેલું.



આત્મ-શક્તિ સત્સંગ થી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવન માં દિવ્યતા આવતી નથી.



સંત મહાત્મા એ આપેલું –વિવેક રૂપી ફળ આ બુદ્ધિ ને (ધુન્ધુલીને) ગમતું નથી.



બુદ્ધિ  ની નાની બહેન છે- મન.



બુદ્ધિ મન ની સલાહ લે તો દુઃખી થાય છે. મન અનેકવાર આત્મા ને છેતરે છે. મન સ્વાર્થી છે.



મન કહે તે- ના- કરવું. સલાહ એક ઈશ્વર ની જ લેવી.



આત્મદેવ –મન-બુદ્ધિ નું કપટ સમજી શક્યો નહિ.



ફળ ગાયને ખવડાવ્યું. ગો –એટલે-ગાય-ઇન્દ્રિય-ભક્તિ –વગેરે –અર્થ થાય છે. ફળ ગાયને –એટલે –ઇન્દ્રિય ને ખવડાવ્યું.



આખો દિવસ દ્રવ્ય સુખ અને કામસુખ નું ચિંતન કરે, પર-સ્ત્રી અને પર ધન નો વિચાર કરે,અને જેના જીવન માં ધર્મ -

પ્રધાન નથી ,પાંચ વિષયો- પાપ -થી ભોગવે છે –એ ધન્ધુકારી.


No comments:

Post a Comment