Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૭ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા

ભાગવત રહસ્ય-૭

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" - ૭

ભક્તિ નો વિશેષ સંબંધ મન સાથે છે.માનસી પ્રભુ-સેવા શ્રેષ્ઠ છે.સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે.

અને -એમ માનસી સેવામાં મન તન્મય થાય -તો જીવ કૃતાર્થ થાય.

ભક્તિમાર્ગ ની આચાર્ય ગોપીઓ છે.તેનો આદર્શ નજર સમક્ષ રાખવો.

જેનાથી મન થી ભક્તિ થતી નથી,તેને તનથી પ્રભુ-સેવા કરવાની વિશેષ જરૂર છે,

જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગ થી-જે -ઈશ્વરના આનંદ નો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિ થી પ્રાપ્ત થાય છે.

યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાયછે તે આ જીવાત્મા ને અનાયાસે પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના

કરવામાં આવી છે.                                                 

આ ભાગવતમાં ભગવાન નું સ્વરૂપ બતાવ્યું છે,ભગવાન કેવા છે?

પરમાત્મા ના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે –તાપત્રય વિનાશાય—

દુઃખ એ મન નો ધર્મ છે,આત્મા નો નથી.

મનુષ્ય દુઃખ મા ઈશ્વર નું સ્મરણ કરે એટલે પરમાત્મા સાથે અનુસંધાન થાય છે.અને આનંદ મળે છે.

પરમાત્મા નું શરીર ભલે કોઈ વાર સુંદર ન હોય(કુર્માવતાર,વરાહ અવતાર મા શરીર સુંદર નથી.)

પણ પરમાત્મા નો સ્વભાવ  અતિ સુંદર છે.બીજાનું દુઃખ દુર કરવાનો પરમાત્મા નો સ્વભાવ છે.તેથી ભગવાન

વંદનીય છે.સ્વભાવ અને સ્વરૂપ બંને જેના સુંદર તે ઈશ્વર.

તાપત્રય વિનાશાય—

ત્રણ પ્રકારના તાપ-આધ્યાત્મિક,આધિદૈવિક અને અધિભૌતિક-નો નાશ કરનાર શ્રી કૃષ્ણ ને અમે વંદન કરીએ છીએ.

ઘણા કહે છે કે વંદન કરવાથી શો લાભ? વંદન કરવાથી પાપ બળે છે.

પણ વંદન એકલા શરીર થી નહિ ,મન થી પણ વંદન કરો.  એટલેકે શ્રી કૃષ્ણ ને હૃદયમાં પધરાવો.અને તેમને

પ્રેમ થી નમન કરો. વંદન પ્રભુ ને બંધન મા નાખે છે,વશ કરે છે.

ભગવાન ને હાથ જોડવા –મસ્તક નમાવવું એટલે શું? હાથ એ ક્રિયાશક્તિ નું પ્રતિક છે.અને મસ્તક એ બુદ્ધિ શક્તિનું.

વંદન કરવું એટલે ક્રિયાશક્તિ અને બુદ્ધિ શક્તિ નું પ્રભુને અર્પણ કરવું તે. હું મારા હાથે સત્કર્મ કરીશ અને મારી બુદ્ધિ (પ્રભુ)આપને અર્પણ કરું છું,આપ કહેશો તેમ હું કરીશ,--આવો ભાવ- વંદન- નો છે.

દુઃખ મા સાથ આપે તે ઈશ્વર,સુખમાં સાથ આપે તે જીવ.   ઈશ્વર સદા દુઃખ મા જ સાથ આપે છે.

પાંડવો દુઃખ મા હતા ત્યાં સુધી જ શ્રી કૃષ્ણે મદદ કરી છે,પાંડવો ગાદી પર બેઠા એટલે શ્રી કૃષ્ણ ત્યાંથી ગયા છે.

ઈશ્વર જેને જેને મળ્યા છે તે દુઃખ માં જ. આથી ઈશ્વરનું સતત મનન કરો.

મનુષ્ય જેટલો સમય પૈસા મેળવવા પ્રયત્ન કરે છે,તેથી પણ ઓછો પ્રયત્ન જો ઈશ્વર માટે કરે તો જરૂર ઈશ્વર મળે.

વારંવાર હૃદય થી વંદન કરવાથી –અભિમાન- મરે છે,પ્રભુને તે જીવ પર દયા આવે છે.  વંદન કરવાથી ભગવાન સાથે

બ્રહ્મ સંબંધ થાય છે,વધુ શું કહું? મારા શ્રીકૃષ્ણ ને પ્રણામ કરનાર નો પુનર્જન્મ થતો નથી.

ઘરમાંથી બહાર નીકળતાં અને ઘરમાં પ્રવેશતા ઠાકોરજી ને વંદન કરો.ઈશ્વર પ્રેમ માગે છે ને પ્રેમ આપે છે.

આ જીવ નો સ્વભાવ એવો છે કે પ્રભુને વંદન કરતો નથી.  ઘરમાં દાખલ થાય છે ત્યારે પત્ની ઘરમાં ના હોય તો પોતાના બાળક ને પૂછે છે કે-તારી બા ક્યાં ગઈ?પણ એની શી જરૂર છે?બહાર ગઈ હોય તો રામ રામ કરને-----.

રસ્તે ચાલતા પણ મનથી વંદન કરો.ઈશ્વર સાથે એવો સંબંધ રાખો કે નિત્ય અનુભવ થાય કે ,પ્રભુ,નિત્ય મારી સાથે છે.

જીવ ઈશ્વર થી થોડી પળ પણ દુર થાય તો જીવ ની છાતી પર વિષયો ચડી બેસે છે.ભક્તો(વૈષ્ણવો) કોઈ દિવસ એકલા ફરતા નથી,

તે હંમેશા ઠાકોરજીને સાથે રાખીને જ ફરે છે.

પ્રત્યેક કાર્ય ના આરંભ માં પ્રભુને વંદન કરો.  પરમાત્મા ને પ્રસન્ન કરવાની કોઈ વસ્તુ આ જીવ પાસે નથી.જીવ ખાલી પ્રેમ થી

પરમાત્મા ને પ્રણામ કરે તો પરમાત્મા પ્રસન્ન થાય છે.

પ્રણામ થી પ્રસન્ન થાય તે પરમાત્મા અને પદાર્થ થી પ્રસન્ન થાય તે જીવ. જીવ બીજું કઈ ના કરે-પણ પ્રભુને વંદન તો જરૂર કરે.

હું પ્રભુનો ઋણી છું,તમારા મારા પર અનંત ઉપકાર છે,નાથ,તમને બીજું તો હું આપી શકું?આપનાં ચરણ માં વારંવાર વંદન કરું છું.  ભગવાન ના ઉપકારો નું સ્મરણ કરો અને કાર્ય નો આરંભ કરતાં પહેલા, તેમને વંદન કરો.

આનંદ રૂપ પ્રભુને વંદન કરશો તો તમારામાં આનંદ પ્રગટ થશે.  કેસર અને કપૂર નો સ્પર્શ કરશોતો સૂક્ષ્મ રૂપે તેની સુવાસ

હાથ માં આવશે. પ્રભુ આનંદ રૂપ છે,આનંદ રૂપ પરમાત્માને મનથી સ્પર્શ કરવાથી થી મન ને આનંદ મળે છે.તે પરમાત્મા ને વંદન કરવાથી,સર્વ દુઃખો નો નાશ થાય છે.

પ્રભુ એ આપણા પર કેટકેટલા ઉપકાર કર્યા છે ! બોલવા,ખાવા જીભ આપી,જોવા આંખ આપી,સંભાળવા કાન આપ્યા,વિચાર

કરવા મન, બુદ્ધિ અને વિચારશક્તિ આપી.  ઈશ્વરના ઉપકારો યાદ કરીને કહો કે-ભગવાન,હું તમારો ઋણી છુ,આવી ભાવના

સાથે વંદન કરો.મારા પ્રભુએ મારા પર કૃપા કરી છે,અને હું સુખી છું.મારા પાપ અનંત છે,પણ નાથ તમારી કૃપા પણ અનંત છે.

વિચાર કરો---કે મને પ્રભુ એ આપ્યું છે તેના માટે હું લાયક છુ?

નાથ હું નાલાયક છુ,પાપી છું,છતાં આપે મને સંપતિ,આબરૂ જગતમાં આપ્યા છે. જીવ લાયક નથી તો પણ પ્રભુ એ ઘણું આપ્યું છે,

નાથ,આપના અનંત ઉપકાર છે.નાથ તેનો બદલો હું આપી શકું તેમ નથી.માત્ર આપને વંદન કરું છું.

જે એમ વિચારે છે કે-મારા કર્મ થી મને માન અને ધન મળ્યા છે,તે અભિમાની છે,તે ભક્તિ કરી શકે નહિ.

પણ હૃદય થી દીન બનો.વંદન કરવાથી અભિમાન નો ભાર ઓછો થાય છે.ઠાકોરજીમાં બિલકુલ ભાર  નથી કારણકે તેમનામાં અભિમાન નથી. કૃષ્ણ બોડાણા ની પત્ની ની નાકની વાળી થી તોલાય હતા.

ભાગવતનો આરંભ વંદન થી કર્યો છે,અને સમાપ્તિ પણ વંદન થી કરી છે.


No comments:

Post a Comment