Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

શ્રીમદ ભાગવત ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધ નું લખાણ --નવ ભાગમાં

શ્રીમદ ભાગવત


શ્રીમદ ભાગવત  ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધ નું લખાણ --નવ ભાગમાં


પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત 

ભાગવત-૧


૧-ચતુશ્ર્લોકી (ચાર શ્ર્લોક નું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )

---સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો

      (હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )                                                      

---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)

---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.

ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.............( ૨/૯/૩૨ )

૨.

---”માયા  “ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રય પણું ) દેખાતું નથી.

---જેવી રીતે  શરીર ના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી...........................................(૨/૯/૩૩)

[નોધ - શરીર ના ધર્મો------- દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),

                                                  પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)]

૩.

---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'  માં સૃષ્ટિ ની પછી

    -દાખલ થયેલા છે અને ….........( જે દેખાય  છે)

    -દાખલ થયેલા પણ નથી …......( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )

---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થો માં

    -રહ્યો છું  અને     -નથી પણ રહ્યો ….................................................................................(૨/૯/૩૪ )

૪.

---આવી મારી   “ સર્વત્ર “ સ્થિતિ છે.

---આત્મા -નું તાત્વિક સ્વરૂપ  જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે -

    -જે વસ્તુ

    -અન્વય  ( આત્મા નું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )

      અને

   -અતિરેક  ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક )(આ બ્રહ્મ  નથી-આ બ્રહ્મ નથી )

       થી -સર્વ સ્થળે-સર્વદા છે -તે  આત્મા છે. ...................................................................( ૨/૯/૩૫ )


No comments:

Post a Comment