Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Friday, June 21, 2013

BHAGWAT GEETA

અધ્યાય ૦૧ - શ્લોક ૦૧

મૂળ શ્લોક: 
धृतराष्ट्र उवाच:
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ १ ॥
શ્લોક ભાવાર્થ: 
ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' - કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્યો થયા હોવાથી તથા કુરુ રાજાની તપસ્યાભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે.
અહીં 'धर्मक्षेत्रे' અને 'कुरुक्षेत्रे' પદોમાં 'क्षेत्रे' શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની કુરુવંશીઓની ભૂમિ છે. આ કેવળ લડાઇની ભૂમિ જ નથી, પરંતુ તિર્થભૂમિ છે, જેમાં પ્રાણી જીવતેજીવત પવિત્ર કર્મો કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જાતનો લાભ થઇ જાય - એવો વિચાર કરીને તેમ જ શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઇને જ યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવામાં આવી છે.
સંસારમાં મોટે ભાગે ત્રણ બાબતોને કારણે લડાઇ થાય છે - જમીન, ધન અને સ્ત્રી. આ ત્રણમાં પણ રાજાઓનું આપસઅપસમાં લડવું મુખ્યત્વે જમીનને કારણે હોય છે. અહીં 'कुरुक्षेत्रे' પદ આપવાનું તાત્પર્ય પણ જમીનને કારણે લડવામાં છે. કુરુવંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો - બધા એક જ ગણાય છે. કુરુવંશના હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત્ રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી (કૌરવોએ પાંડવોને એમની જમીન ન આપવાને કારણે) બંને જમીનને માટે લડાઇ કરવા આવ્યા છે.
જોકે પોતાની જમીન હોવાને કારણે બંનેને માટે 'कुरुक्षेत्रे' પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાસસંગત છે, તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઇ પણ કાર્ય કરવું હોય, ત્યારે તે ધર્મને સામે રાખીને જ કરવામાં આવે છે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઇ જાય અને કલ્યાણ થઇ જાય.
અહીં આરંભમાં 'धर्म' પદથી એક બીજી વાત પણ દેખાય છે. જો આરંભના 'धर्म' પદમાંથી 'धर्' લઇ લેવામાં આવે અને અઢારમા અધ્યાયના છેલ્લા શ્લોકના 'मम' પદમાંથી 'म' લઇ લેવામાં આવે, તો 'धर्म' શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે અર્થાત્ ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્યકર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઇ જાય છે.
આ 'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' પદો ઉપરથી બધા મનુષ્યોએ બોધપાઠ લેવો જોઇએ કે કોઇ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઇએ. માત્ર પોતાના સુખ અને આરામની દ્રષ્ટિએ નહિ; અને કર્તવ્ય-અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રને દ્રષ્ટિ સમક્ષ રાખવું જોઇએ (ગીતા અધ્યાય ૧૬/૨૪).
'समवेता युयुत्सवः' - રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં પણ દૂર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહિ. એટલું જ નહિ, ભગવાન શ્રીકૃષ્ણના કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ જણાવી દીધું કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહિ આપું [૩]. ત્યારે નિરુપાય થઇને પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. આ રીતે મારા પુત્રો અને પાંડુના પુત્રો - બંનેય સેનાઓ સહિત યુદ્ધની ઇચ્છાથી એકઠા થયા છે.
બંને સેનાઓમાં યુદ્ધની ઇચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઇચ્છા વિશેષ રૂપથી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યપ્રાપ્તિનો જ હતો. એ રાજ્યપ્રાપ્તિ ધર્મથી થાય કે અધર્મથી થાય, ન્યાયથી થાય કે અન્યાયથી થાય, વિહિત રીતે થાય કે નિષિદ્ધ રીતે થાય, કોઇ પણ રીતે અમને રાજ્ય મળવું જોઇએ - એવો એનો ભાવ હતો. એટલા માટે વિશેષ રૂપે દુર્યોધનનો પક્ષ જ યુયુત્સુ અર્થાત્ યુદ્ધની ઇચ્છાવાળો હતો.
પાંડવોમાં ધર્મનું પ્રાધાન્ય હતું. એમનો એવો ભાવ હતો કે અમે ભલેને ગમે તેવો જીવનનિર્વાહ કરી લઇશું, પરંતુ અમારા ધર્મપાલનમાં વિઘ્ન નહિ આવવા દઇએ અને ધર્મની વિરુદ્ધ નહિ ચાલીએ. આ વાતને લીધે મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઇચ્છતા ન હતા. પરંતુ જે માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારેય ભાઇઓ સહિત દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા, તે માતાની આજ્ઞા થવાને કારણે જ મહારાજ યુધિષ્ઠિરની યુદ્ધમાં પ્રવૃત્તિ થઇ હતી [૪]. અર્થાત્ કેવળ માની આજ્ઞાના પાલન રૂપ ધર્મથી જ યુધિષ્ઠિર યુદ્ધની ઇચ્છાવાળા થયા હતા. તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્યને માટે જ યુયુત્સુ હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુયુત્સુ બન્યા હતા.
'मामकाः पाण्डवाश्चैव' - પાંડવો ધૃતરાષ્ટ્ર ને (પોતાના પિતાના મોટા ભાઇ હોવાથી) પિતાતુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તોપણ પાંડવો ઉચિત-અનુચિતનો વિચાર નહિ કરીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી અહીં 'मामकाः' પદની અંતર્ગત કૌરવ [૫] અને પાંડવ બંને આવી જાય છે. તેમ છતાં 'पाण्डवाः' પદ જુદું આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો. એમનામાં પક્ષપાત હતો, પોતાના પુત્રોમાં મોહ હતો. તેઓ દુર્યોધન વગેરેને તો પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાના માનતા ન હતા [૬]. આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે 'मामकाः' અને પાંડુના પુત્રોને માટે 'पाण्डवाः' પદનો પ્રયોગ કર્યો છે; કારણ કે જે ભાવો હૈયામાં હોય છે, તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ વ્દૈધીભાવ (ભેદભાવ) ને કારણે જ ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્યમાત્રે એ બોધપાઠ લેવો જોઇએ કે તેઓ પોતાનાં ઘરોમાં, મહોલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં વ્દૈધીભાવ અર્થાત્ આ આપણા છે, આ બીજા છે - એવો ભાવ ન રાખે. કારણ કે વ્દૈધીભાવથી આપસમાં પ્રેમ કે સ્નેહ થતો નથી પણ ઊલટાનો કલહ થાય છે.
અહીં 'पाण्डवाः' પદની સાથે 'एव' પદ આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે; આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું. પરંતુ તેઓ પણ યુદ્ધને માટે રણભૂમિમાં આવી ગયા, તો ત્યાં આવીને એમણે શું કર્યું?
['मामकाः અને पाण्डवाः' [૭] - એ બેમાંથી પહેલા 'मामकाः' પદનો ઉત્તર સંજય આગળના (બીજા) શ્લોકથી તેરમા શ્લોક સુધી આપશે કે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઇને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના મુખ્યમુખ્ય સેનાપતિઓનાં નામ લીધાં. એ પછી દુર્યોધને પોતાની સેનાના મુખ્યમુખ્ય યોદ્ધાઓનાં નામ લઇને એમના રણકૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવસેનામાં શંખ વગેરે વાદ્યો વાગી ઊઢ્યાં. પછી ચૌદમા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી 'पाण्डवाः' પદનો ઉત્તર આપશે કે રથમાં બેઠેલા પાંડવપક્ષના ભગવાન શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. ત્યાર બાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુળ, સહદેવ વગેરે પોતપોતાના શંખો વગાડ્યા, જેનાથી દુર્યોધનની સેનાનાં હૈયાં કંપી ઊઠ્યાં. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતાંકહેતા વીસમા શ્લોકથી શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગનો આરંભ કરી દેશે.]
યુદ્ધ થયું નહિ? એ જાતનો વિકલ્પ તો અહીં લઇ શકાતો નથી; કારણ કે દસ દિવસ સુધી યુદ્ધ થઇ ચૂક્યું છે અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા છે.
'મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું, કે યુદ્ધ કરી બેઠા ! એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું' - એવી નિંદા અથવા આક્ષેપ પણ અહીં નથી સ્વીકારી શકાતો; કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ ન હતો.
અહીં 'किम्' શબ્દનો અર્થ 'પશ્ન' લેવો એ જ ઠીક બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદાજુદા પ્રકારની નાનીમોટી બધી ઘટનાઓને અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે જ પ્રશ્ન કરી રહ્યા છે.

[૧] - વૈશંપાયન અને જનમેજયના સંવાદની સંદર 'ધૃતરાષ્ટ્રસંજયસંવાદ' છે અને ધૃતરાષ્ટ્ર તથા સંજયના સંવાદની અંદર 'શ્રીકૃષ્ણર્જુનસંવાદ' છે.
[૨] - સંજયનો જ્ન્મ ગવલ્ગણ નામના સૂતથી થયો હતો. તે મુતિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા - 'संजयो मुतिकल्पस्तु यज्ञे सूतो गवल्गणात्' (મહાભારત, આદિપર્વ, ૬૩/૯૭). એ ધૃતરાષ્ટ્રના મંત્રી હતા.
[૩] - यावद्धि तीक्ष्णया सूच्चा विध्येदग्रेण केशव । तावदप्यपरित्याज्यं भूमेर्नः पाण्डवान् प्रति ॥ (મહાભારત, ઉદ્યોગ. ૧૨૭/૨૫)
[૪] - માતા કુંતા ઘણી સહનશીલ હતી. કષ્ટથી બચીને, સુખ, આરામ, રાજ્ય વગેરેની ઇચ્છા - એ વાત એનામાં ન હતી. એ એક વિલક્ષણ માતા હતી, જેણે ભગવાન પાસે વિપત્તિનું જ વરદાન માંગ્યું હતું. એનામાં સુખલોલુપતા ન હતી, પરંતુ એના મનમાં બે વાતોને લઇને ભારે દુઃખ હતું. પહેલી વાત એ કે, રાજ્યને માટે કૌરવપાંડવ આપસાઅપસમાં લડત, કે ગમે તે કરત, પણ મારી પ્રિય પુત્રવધૂ દ્રૌપદીને એ દુર્યોધન વગેરે દુષ્ટોએ સભામાં નગ્ન કરવાની ઇચ્છા કરી, અપમાનિત કરવાની ઇચ્છા કરી - એ ધૃણાપાત્ર ચેષ્ટા કરવી એ માનવતા નથી. આ બાબત માતા કુંતાજી ઘણી જ ખરાબ લાગી.
બીજી વાત, ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી સંધિનો પ્રસ્તાવ લઇને હસ્તિનાપુર આવ્યા ત્યારે દુર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ વગેરી ભગવાનને પકડી લઇને કેદ કરવાની ઇચ્છા કરી. આ વાતને સાંભળીને કુંતાના મનમાં એ વિચાર આવ્યો કે હવે આ દુષ્ટોને જલદીથી મારી નાખવા જોઇએ. કારણ કે એમના જીવતા એઅહેવાથી એમનાં પાપ વધતાં જ રહેશે, જેથી એમને ઘણું જ નુકશાન થશે. આ બે કારણોથી માતા કંતાએ પાંડવોને યુદ્ધને માટે આજ્ઞા આપી હતી.
[૫] - જોકે 'कौरव' શબ્દની અંતર્ગત ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન વગેરે અને પાંડુના પુત્રો યુધિષ્ઠિર વગેરે બધા જ આવી જાય છે, તો પણ આ શ્લોકમાં ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિર વગેરે માટે 'पाण्डव' શબ્દનો પ્રયોગ કર્યો છે. આથી ટીકામાં 'कौरव' શબ્દ દુર્યોધન વગેરે માટે જ આપવામાં આવ્યો છે.
[૬] - ધૃતરાષ્ટ્રના મનમાં વ્દૈધીભાવ હતો કે દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે મારા પુત્રો નથી, પરંતુ પાંડુના પુત્રો છે. આ ભાવને કારણે દુર્યોધનું ભીમમે વિષ આપીને પાણીમાં ફેંકી દેવું, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરવો, યુધિષ્ઠિરની સાથે છળપૂર્વક જુગાર રમવો, પાંડવોનો નાશ કરવાને માટે સેના લઇને વનમાં જવું વગેરે કાર્યો કરવામાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કદી રોક્યો ન હતો. કારણ કે એમના મનમાં એ જ ભાવ હતો કે જો કોઇ પણ રીતે પાંડવોનો નાશ થઇ જાય, તો મારા પુત્રોનું રાજ્ય સુરક્ષિત રહેશે.
[૭] - અહીં આવેલા 'मामकाः' અને 'पाण्डवाः' નું અલગ અલગ વર્ણન કરવાની દ્રષ્ટ્થી જ આગણ ઉપર સંજયનાં વચનોમાં 'दुर्योधनः' (અધ્યાય ૧/૨) અને 'पाण्डवः' (અધ્યાય ૧/૧૪) શબ્દો પ્રયોજાયા છે.

BHAGWAT GEETA -2





અધ્યાય ૦૧ - શ્લોક ૦૨

મૂળ શ્લોક: 
संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥
શ્લોક ભાવાર્થ: 
સંજય બોલ્યા - એ વખતે વજ્રવ્યૂહથી ઊભી રહેલી પાંડવસેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને આ વચન બોલ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'तदा' જે વખતે બન્ને સેનાઓ યુદ્ધને માટે ઊભી રહી હતી, તે સમયની વાત સંજય અહીં 'तदा' પદથી કહે છે. કારણ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન 'યુદ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું' - એ બાબત સાંભળવાને માટે જ હતો. 'तु' - ધૃતરાષ્ટ્રે પોતાના અને પાંડુના પુત્રો વિષે પૂછ્યું છે. આથી સંજય પણ પહેલાં ધૃતરાષ્ટ્રના પુત્રોની વાત બતાવવા માટે અહીં 'तु' પદનો પ્રયોગ કરે છે.

'दृष्ट्वा [૧] तु पाण्डवानीकं व्यूढम्' - પાંડવોની વજ્રવ્યૂહથી ઊભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી અર્થાત્ એમના સૈનિકોમાં બે ભાવો ન હતા, મતભેદ ન હતો. [૨] એમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણ હતા. જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય છે, એમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે. એટલા માટે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવોની સેનાનું તેજ (પ્રભાવ) હતું ને એની બીજાઓ ઉપર ભારે અસર પડતી હતી. આથી પાંડવસેનાની દુર્યોધન ઉપર ભારે અસર પડી, જેથી તે દ્રોણાચાર્ય પાસે જઇને નીતિવાળાં ગંભીર વચનો બોલે છે.

'राजा दुर्योधनः' - દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું (મોહ) દુર્યોધનમાં જ હતું. પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યનાં બધાં કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ્ર તો નામમાત્રના રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધાં જ કારણોથી સંજયે દુર્યોધનને માટે 'राजा' શબ્દનો પ્રયોગ કર્યો છે.

'आचार्यमुपसङ्गम्य' - દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે -
(૧) પોતાનો સ્વાર્થ સાધવા માટે અર્થાત્ દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને પોતાના પક્ષમાં વિશેષ રૂપે લાવવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો.
(૨) વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું.
(૩) મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભા રહેવું ઘણું જ જરૂરી હોય છે, નહિતર વ્યવસ્થા બગડી જાય છે. એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું.

અહીં શંકા થઇ શકે કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઇતું હતું, કે જેઓ સેનાપતિ હતા. છતાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જ કેમ ગયો? એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ - બંને ઉભયપક્ષપાતી હતા અર્થાત્ તેઓ કૌરવો અને પાંડવો - બંનેનો પક્ષ ખેંચતા હતા. એ બન્નેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે દ્રોણાચાર્યની સાથે દુર્યોધનના ગુરુ હોવાના સંબંધથી તો સ્નેહ હતો, પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ ન હતો; અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી. આથી એમને તાજી કરવા માટે દુર્યોધનનું એમની પાસે જવું જ યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ નથી હોતો, એની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે.

દુર્યોધનના મનમાં એ વિશ્વાસ હતો કે ભીષ્મજી તો અમારા દાદા જ છે; આથી એમની પાસે જ જાઊં તો પણ કંઇ વાંધો નથી. ન જવાથી કદાચ એ નારાજ પણ થઇ જશે તો હું કોઇક રીતે એમને રાજી કરી દઇશ. કારણ કે પિતામહ ભીષ્મની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો જ, ભીષ્નનો પણ એની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો. એટલા માટે ભીષ્મજીએ દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ વગાડ્યો. (અ. ૧/૧૨)

'वचनमब्रवीत्' - અહીં 'अब्रवीत्' કહેવું જ પૂરતું હતું; કેમ કે 'अब्रवीत्' ક્રિયાની અંતર્ગત જ 'वचनम्' આવી જાય છે અર્થાત્ દુર્યોધન બોલત, તો 'वचनम्' જ બોલત. એટલા માટે અહીં 'वचनम्' શબ્દની આવશ્યકતા ન હતી આમ છતાં 'वचनम्' શબ્દ આપવાનું તાત્પર્ય એ છે કે દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઇ જાય અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઇ જાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થઇ જાય.


[૧] - આ અધ્યાયમાં ત્રણ વાર 'दृष्ट्वा' (જોઇને) પદનો પ્રયોગ થયો છે - પાંડવસેનાને જોઇને દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જવું (અ. ૧/૨); કૌરવસેનાને જોઇને અર્જુનનું ધનુષ્યને ઉઠાવવું (અ. ૧/૨0); અને પોતાનાં સ્વજનો (કુટુંબીઓ) ને જોઇને અર્જુનનું મોહાવિષ્ટ થવું (અ. ૧/૨૮). આ ત્રણમાંથી વે 'दृष्ट्वा' તો આપસાઅપસમાં સેના જોવાને માટે વપરાયા છે અને એક 'दृष्ट्वा' સ્વજનોને જોવા માટે વપરાયું છે, જેનાથી અર્જુનનો ભાવ બદલાઇ જાય છે.

[૨] - કૌરવસેનામાં મતભીદ હતો; કારણ કે દુર્યોધન, દુઃશાસન વગેરે તો યુદ્ધ કરવાને ઇચ્છતા હતા, પરંતુ ભીષ્મ, દ્રોણ, વિકર્ણ વગેરે યુદ્ધ કરવાને ઇચ્છતા ન હતા. એ નિયમ છે કે જ્યાં આપસઆપસમાં મતભેદ હોય છે, ત્યાં તેજ (પ્રભાવ) રહેતું નથી -
काँच कटोरो कुम्भ पय मोती मिंत अवास । ताल घाव तिरिया कटक फाटा करें बिनास ॥
શ્લોક માહિતી: 
સંબંધ - ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર સંજય આગળના શ્લોકથી આપવાનો આરંભ કરે છે.














BHAGWAT GEETA -3



અધ્યાય ૦૧ - શ્લોક ૦૩

મૂળ શ્લોક: 
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥
શ્લોક ભાવાર્થ: 
હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્હૂહરચનાથી ઊભી કરાયેલી પાંડવોની આ ઘણી મોટી સેનાને જુઓ.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'आचार्य' - દ્રોણને માટે આચાર્ય સંબોધન આપવામાં દુર્યોધનનો એવો ભાવ દેખાય છે કે આપ અમારા બધાના - કૌરવો અને પાંડવોના આચાર્ય છો. શસ્ત્રવિદ્યા શિખવનારા હોવાથી આપ બધાના ગુરુ છો. એટલા માટે આપના મનમાં કોઇનો પક્ષ અથવા આગ્રહ નહિ હોવો જોઇએ.

'तव शिष्येण धीमता' - આ પદોનો પ્રયોગ કરવામાં દુર્યોધનનો ભાવ એ છે કે આપ એટલા સરળ છો કે આપને મારવા માટે જન્મ લેવાવાળા ધૃષ્ટદ્યુમ્નને પણ આપે અસ્ત્રશસ્ત્રની વિદ્યા શિખવાડી છે; ને તે આપનો શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન એટલો બુદ્ધિમાન છે કે એણે આપને મારવા માટે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે !

'द्रुपदपुत्रेण' - આ પદ કહેવાનો આશય એ છે કે આપને મારવાના ઉદ્દેશ્યને કારણે જ દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બ્રહ્મણો પાસે યજ્ઞ કરાવ્યો, જેનાથી ધૃષ્ટદ્યુમ્ન આપની સમક્ષ (વિરોધીપક્ષે) સેનાપતિના રૂપમાં ઊભો છે.

જોકે અહીં દુર્યોધન 'દ્રુપદપુત્ર' ને સ્થાને 'ધૃષ્ટદ્યુમ્ન' પણ કહી શકતો હતો, તો પણ દ્રુપદ દ્રોણાચાર્યની સાથે જે વેર રાખતો હતો, એ વેરભાવને યાદ કરાવવાને માટે દુર્યોધન અહીં 'द्रुपदपुत्रेण' શબ્દનો પ્રયોગ કરે છે કે હવે વેર વાળવાની સારી તક છે !

'पाण्दुपुत्राणाम् एतां व्यूढां महतीं चमूं पश्य' - દ્રુપદપુત્ર દ્વારા પાંડવોની આ વ્યૂહાકારે ઊભી રખાયેલી ઘણી મોટી સેનાને જુઓ. તાત્પર્ય એ છે કે જે પાંડવો ઉપર આપ સ્નેહ રાખો છો, એ જ પાંડવોએ આપના વિરોધપક્ષે ખાસ આપને મારવાવાળા દ્રુપદપુત્રને સેનાપતિ બનાવીને વ્યૂહરચના કરવાનો અધિકાર આપ્યો છે. જો પાંડવો આપની સાથે સ્નેહ રાખતા હોત તો ઓછામાં ઓછું આપને મારવાવાળાને તો પોતાની સેનાનો મુખ્ય સેનાપતિ બનાવત નહિ, એટલો અધિકાર તો ન આપત. પરંતુ બધું જ જાણવા છતાં પણ એમણે એને જ સેનાપતિ બનાવ્યો છે.

જોકે કૌરવોની અપેક્ષાએ પાંડવોની સેના સંખ્યામાં ઓછી હતી અર્થાત્ કૌરવોની સેના અગિયાર અક્ષૌહિણી [૧] અને પાંડવોની સેના સાત અક્ષૌહિણી હતી, તોપણ દુર્યોધન પાંડવોની સેનાને ઘણી મોટી દર્શાવી રહ્યો છે. પાંડવોની સેનાને ઘણી મોટી કહેવામાં બે ભાવો જણાય છે. - (૧) પાંડવોની સેના એવી રીતે વ્યૂહાકારે ઊભી રહી હતી, જેથી દુર્યોધનને થોડી સેના પણ ઘણી જ મોટી દેખાઇ રહી હતી અને (૨) પાંડવસેનામાં સઘળેસઘળા યોદ્ધા એક મતના હતા. આ એકતાને કારણે પાંડવોની નાની સેના પણ બળમાં અને ઉત્સાહમાં મોટી દેખાઇ રહી હતી. આવી સેનાને બતાવીને દુર્યોધન દ્રોણાચાર્યને એમ કહેવા ઇચ્છે છે કે યુદ્ધ કરતી વખતે આપ આ સેનાને સામાન્ય અને નાની નહિ સમજતા. આપ વિશેષ બળનો ઉપયોગ કરીને સાવધાનીથી યુદ્ધ કરજો. પાંડવોનો સેનાપતિ તો આપનો શિષ્ય દ્રુપદપુત્ર જ છે; આથી એના ઉપર વિજય કરવો એ આપને માટે કઇ મોટી વાત છે !

'एतां पश्य' કહેવાનું તાત્પર્ય એ છે કે આ પાંડવસેના યુદ્ધને માટે તૈયાર થઇને સામે ઊભી છે. આથી એ સેના પર આપણે કઇ રીતે વિજય કરી શકીએ છીએ - એ વિષયમાં આપે જલદીમાં જલદી નિર્ણય કરકો જોઇએ.


[૧] - એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ રથ; ૨૧૮૭૦ હાથી; ૬૫૬૧૦ ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો હોય છે. (મહાભારત, આદિ. ૨/૨૩-૨૬)
શ્લોક માહિતી: 
સંબંધ - દ્રોણાચાર્યની પાસે જઇને દુર્યોધન કયાં વચનો બોલ્યા - એ વાતને આગળના શ્લોકમાં બતાવે છે.

અધ્યાય ૦૧ - શ્લોક શ્લોક ૦૧-૦૨-૦૩-૦૪-૦૬

 અધ્યાય ૦૧ - શ્લોક શ્લોક ૦૧-૦૨-૦૩-૦૪-૦૬

અધ્યાય ૦૧ - શ્લોક ૦૧

મૂળ શ્લોક: 
धृतराष्ट्र उवाच:
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ १ ॥
શ્લોક ભાવાર્થ: 
ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' - કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્યો થયા હોવાથી તથા કુરુ રાજાની તપસ્યાભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે.
અહીં 'धर्मक्षेत्रे' અને 'कुरुक्षेत्रे' પદોમાં 'क्षेत्रे' શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની કુરુવંશીઓની ભૂમિ છે. આ કેવળ લડાઇની ભૂમિ જ નથી, પરંતુ તિર્થભૂમિ છે, જેમાં પ્રાણી જીવતેજીવત પવિત્ર કર્મો કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જાતનો લાભ થઇ જાય - એવો વિચાર કરીને તેમ જ શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઇને જ યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવામાં આવી છે.
સંસારમાં મોટે ભાગે ત્રણ બાબતોને કારણે લડાઇ થાય છે - જમીન, ધન અને સ્ત્રી. આ ત્રણમાં પણ રાજાઓનું આપસઅપસમાં લડવું મુખ્યત્વે જમીનને કારણે હોય છે. અહીં 'कुरुक्षेत्रे' પદ આપવાનું તાત્પર્ય પણ જમીનને કારણે લડવામાં છે. કુરુવંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો - બધા એક જ ગણાય છે. કુરુવંશના હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત્ રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી (કૌરવોએ પાંડવોને એમની જમીન ન આપવાને કારણે) બંને જમીનને માટે લડાઇ કરવા આવ્યા છે.
જોકે પોતાની જમીન હોવાને કારણે બંનેને માટે 'कुरुक्षेत्रे' પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાસસંગત છે, તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઇ પણ કાર્ય કરવું હોય, ત્યારે તે ધર્મને સામે રાખીને જ કરવામાં આવે છે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઇ જાય અને કલ્યાણ થઇ જાય.
અહીં આરંભમાં 'धर्म' પદથી એક બીજી વાત પણ દેખાય છે. જો આરંભના 'धर्म' પદમાંથી 'धर्' લઇ લેવામાં આવે અને અઢારમા અધ્યાયના છેલ્લા શ્લોકના 'मम' પદમાંથી 'म' લઇ લેવામાં આવે, તો 'धर्म' શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે અર્થાત્ ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્યકર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઇ જાય છે.
આ 'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' પદો ઉપરથી બધા મનુષ્યોએ બોધપાઠ લેવો જોઇએ કે કોઇ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઇએ. માત્ર પોતાના સુખ અને આરામની દ્રષ્ટિએ નહિ; અને કર્તવ્ય-અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રને દ્રષ્ટિ સમક્ષ રાખવું જોઇએ (ગીતા અધ્યાય ૧૬/૨૪).
'समवेता युयुत्सवः' - રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં પણ દૂર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહિ. એટલું જ નહિ, ભગવાન શ્રીકૃષ્ણના કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ જણાવી દીધું કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહિ આપું [૩]. ત્યારે નિરુપાય થઇને પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. આ રીતે મારા પુત્રો અને પાંડુના પુત્રો - બંનેય સેનાઓ સહિત યુદ્ધની ઇચ્છાથી એકઠા થયા છે.
બંને સેનાઓમાં યુદ્ધની ઇચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઇચ્છા વિશેષ રૂપથી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યપ્રાપ્તિનો જ હતો. એ રાજ્યપ્રાપ્તિ ધર્મથી થાય કે અધર્મથી થાય, ન્યાયથી થાય કે અન્યાયથી થાય, વિહિત રીતે થાય કે નિષિદ્ધ રીતે થાય, કોઇ પણ રીતે અમને રાજ્ય મળવું જોઇએ - એવો એનો ભાવ હતો. એટલા માટે વિશેષ રૂપે દુર્યોધનનો પક્ષ જ યુયુત્સુ અર્થાત્ યુદ્ધની ઇચ્છાવાળો હતો.
પાંડવોમાં ધર્મનું પ્રાધાન્ય હતું. એમનો એવો ભાવ હતો કે અમે ભલેને ગમે તેવો જીવનનિર્વાહ કરી લઇશું, પરંતુ અમારા ધર્મપાલનમાં વિઘ્ન નહિ આવવા દઇએ અને ધર્મની વિરુદ્ધ નહિ ચાલીએ. આ વાતને લીધે મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઇચ્છતા ન હતા. પરંતુ જે માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારેય ભાઇઓ સહિત દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા, તે માતાની આજ્ઞા થવાને કારણે જ મહારાજ યુધિષ્ઠિરની યુદ્ધમાં પ્રવૃત્તિ થઇ હતી [૪]. અર્થાત્ કેવળ માની આજ્ઞાના પાલન રૂપ ધર્મથી જ યુધિષ્ઠિર યુદ્ધની ઇચ્છાવાળા થયા હતા. તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્યને માટે જ યુયુત્સુ હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુયુત્સુ બન્યા હતા.
'मामकाः पाण्डवाश्चैव' - પાંડવો ધૃતરાષ્ટ્ર ને (પોતાના પિતાના મોટા ભાઇ હોવાથી) પિતાતુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તોપણ પાંડવો ઉચિત-અનુચિતનો વિચાર નહિ કરીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી અહીં 'मामकाः' પદની અંતર્ગત કૌરવ [૫] અને પાંડવ બંને આવી જાય છે. તેમ છતાં 'पाण्डवाः' પદ જુદું આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો. એમનામાં પક્ષપાત હતો, પોતાના પુત્રોમાં મોહ હતો. તેઓ દુર્યોધન વગેરેને તો પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાના માનતા ન હતા [૬]. આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે 'मामकाः' અને પાંડુના પુત્રોને માટે 'पाण्डवाः' પદનો પ્રયોગ કર્યો છે; કારણ કે જે ભાવો હૈયામાં હોય છે, તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ વ્દૈધીભાવ (ભેદભાવ) ને કારણે જ ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્યમાત્રે એ બોધપાઠ લેવો જોઇએ કે તેઓ પોતાનાં ઘરોમાં, મહોલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં વ્દૈધીભાવ અર્થાત્ આ આપણા છે, આ બીજા છે - એવો ભાવ ન રાખે. કારણ કે વ્દૈધીભાવથી આપસમાં પ્રેમ કે સ્નેહ થતો નથી પણ ઊલટાનો કલહ થાય છે.
અહીં 'पाण्डवाः' પદની સાથે 'एव' પદ આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે; આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું. પરંતુ તેઓ પણ યુદ્ધને માટે રણભૂમિમાં આવી ગયા, તો ત્યાં આવીને એમણે શું કર્યું?
['मामकाः અને पाण्डवाः' [૭] - એ બેમાંથી પહેલા 'मामकाः' પદનો ઉત્તર સંજય આગળના (બીજા) શ્લોકથી તેરમા શ્લોક સુધી આપશે કે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઇને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના મુખ્યમુખ્ય સેનાપતિઓનાં નામ લીધાં. એ પછી દુર્યોધને પોતાની સેનાના મુખ્યમુખ્ય યોદ્ધાઓનાં નામ લઇને એમના રણકૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવસેનામાં શંખ વગેરે વાદ્યો વાગી ઊઢ્યાં. પછી ચૌદમા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી 'पाण्डवाः' પદનો ઉત્તર આપશે કે રથમાં બેઠેલા પાંડવપક્ષના ભગવાન શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. ત્યાર બાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુળ, સહદેવ વગેરે પોતપોતાના શંખો વગાડ્યા, જેનાથી દુર્યોધનની સેનાનાં હૈયાં કંપી ઊઠ્યાં. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતાંકહેતા વીસમા શ્લોકથી શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગનો આરંભ કરી દેશે.]
યુદ્ધ થયું નહિ? એ જાતનો વિકલ્પ તો અહીં લઇ શકાતો નથી; કારણ કે દસ દિવસ સુધી યુદ્ધ થઇ ચૂક્યું છે અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા છે.
'મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું, કે યુદ્ધ કરી બેઠા ! એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું' - એવી નિંદા અથવા આક્ષેપ પણ અહીં નથી સ્વીકારી શકાતો; કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ ન હતો.
અહીં 'किम्' શબ્દનો અર્થ 'પશ્ન' લેવો એ જ ઠીક બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદાજુદા પ્રકારની નાનીમોટી બધી ઘટનાઓને અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે જ પ્રશ્ન કરી રહ્યા છે.

[૧] - વૈશંપાયન અને જનમેજયના સંવાદની સંદર 'ધૃતરાષ્ટ્રસંજયસંવાદ' છે અને ધૃતરાષ્ટ્ર તથા સંજયના સંવાદની અંદર 'શ્રીકૃષ્ણર્જુનસંવાદ' છે.
[૨] - સંજયનો જ્ન્મ ગવલ્ગણ નામના સૂતથી થયો હતો. તે મુતિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા - 'संजयो मुतिकल्पस्तु यज्ञे सूतो गवल्गणात्' (મહાભારત, આદિપર્વ, ૬૩/૯૭). એ ધૃતરાષ્ટ્રના મંત્રી હતા.
[૩] - यावद्धि तीक्ष्णया सूच्चा विध्येदग्रेण केशव । तावदप्यपरित्याज्यं भूमेर्नः पाण्डवान् प्रति ॥ (મહાભારત, ઉદ્યોગ. ૧૨૭/૨૫)
[૪] - માતા કુંતા ઘણી સહનશીલ હતી. કષ્ટથી બચીને, સુખ, આરામ, રાજ્ય વગેરેની ઇચ્છા - એ વાત એનામાં ન હતી. એ એક વિલક્ષણ માતા હતી, જેણે ભગવાન પાસે વિપત્તિનું જ વરદાન માંગ્યું હતું. એનામાં સુખલોલુપતા ન હતી, પરંતુ એના મનમાં બે વાતોને લઇને ભારે દુઃખ હતું. પહેલી વાત એ કે, રાજ્યને માટે કૌરવપાંડવ આપસાઅપસમાં લડત, કે ગમે તે કરત, પણ મારી પ્રિય પુત્રવધૂ દ્રૌપદીને એ દુર્યોધન વગેરે દુષ્ટોએ સભામાં નગ્ન કરવાની ઇચ્છા કરી, અપમાનિત કરવાની ઇચ્છા કરી - એ ધૃણાપાત્ર ચેષ્ટા કરવી એ માનવતા નથી. આ બાબત માતા કુંતાજી ઘણી જ ખરાબ લાગી.
બીજી વાત, ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી સંધિનો પ્રસ્તાવ લઇને હસ્તિનાપુર આવ્યા ત્યારે દુર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ વગેરી ભગવાનને પકડી લઇને કેદ કરવાની ઇચ્છા કરી. આ વાતને સાંભળીને કુંતાના મનમાં એ વિચાર આવ્યો કે હવે આ દુષ્ટોને જલદીથી મારી નાખવા જોઇએ. કારણ કે એમના જીવતા એઅહેવાથી એમનાં પાપ વધતાં જ રહેશે, જેથી એમને ઘણું જ નુકશાન થશે. આ બે કારણોથી માતા કંતાએ પાંડવોને યુદ્ધને માટે આજ્ઞા આપી હતી.
[૫] - જોકે 'कौरव' શબ્દની અંતર્ગત ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન વગેરે અને પાંડુના પુત્રો યુધિષ્ઠિર વગેરે બધા જ આવી જાય છે, તો પણ આ શ્લોકમાં ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિર વગેરે માટે 'पाण्डव' શબ્દનો પ્રયોગ કર્યો છે. આથી ટીકામાં 'कौरव' શબ્દ દુર્યોધન વગેરે માટે જ આપવામાં આવ્યો છે.
[૬] - ધૃતરાષ્ટ્રના મનમાં વ્દૈધીભાવ હતો કે દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે મારા પુત્રો નથી, પરંતુ પાંડુના પુત્રો છે. આ ભાવને કારણે દુર્યોધનું ભીમમે વિષ આપીને પાણીમાં ફેંકી દેવું, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરવો, યુધિષ્ઠિરની સાથે છળપૂર્વક જુગાર રમવો, પાંડવોનો નાશ કરવાને માટે સેના લઇને વનમાં જવું વગેરે કાર્યો કરવામાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કદી રોક્યો ન હતો. કારણ કે એમના મનમાં એ જ ભાવ હતો કે જો કોઇ પણ રીતે પાંડવોનો નાશ થઇ જાય, તો મારા પુત્રોનું રાજ્ય સુરક્ષિત રહેશે.
[૭] - અહીં આવેલા 'मामकाः' અને 'पाण्डवाः' નું અલગ અલગ વર્ણન કરવાની દ્રષ્ટ્થી જ આગણ ઉપર સંજયનાં વચનોમાં 'दुर्योधनः' (અધ્યાય ૧/૨) અને 'पाण्डवः' (અધ્યાય ૧/૧૪) શબ્દો પ્રયોજાયા છે.

 

અધ્યાય ૦૧ - શ્લોક ૦૨

મૂળ શ્લોક: 
संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥
શ્લોક ભાવાર્થ: 
સંજય બોલ્યા - એ વખતે વજ્રવ્યૂહથી ઊભી રહેલી પાંડવસેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને આ વચન બોલ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'तदा' જે વખતે બન્ને સેનાઓ યુદ્ધને માટે ઊભી રહી હતી, તે સમયની વાત સંજય અહીં 'तदा' પદથી કહે છે. કારણ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન 'યુદ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું' - એ બાબત સાંભળવાને માટે જ હતો. 'तु' - ધૃતરાષ્ટ્રે પોતાના અને પાંડુના પુત્રો વિષે પૂછ્યું છે. આથી સંજય પણ પહેલાં ધૃતરાષ્ટ્રના પુત્રોની વાત બતાવવા માટે અહીં 'तु' પદનો પ્રયોગ કરે છે.

'दृष्ट्वा [૧] तु पाण्डवानीकं व्यूढम्' - પાંડવોની વજ્રવ્યૂહથી ઊભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી અર્થાત્ એમના સૈનિકોમાં બે ભાવો ન હતા, મતભેદ ન હતો. [૨] એમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણ હતા. જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય છે, એમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે. એટલા માટે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવોની સેનાનું તેજ (પ્રભાવ) હતું ને એની બીજાઓ ઉપર ભારે અસર પડતી હતી. આથી પાંડવસેનાની દુર્યોધન ઉપર ભારે અસર પડી, જેથી તે દ્રોણાચાર્ય પાસે જઇને નીતિવાળાં ગંભીર વચનો બોલે છે.

'राजा दुर्योधनः' - દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું (મોહ) દુર્યોધનમાં જ હતું. પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યનાં બધાં કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ્ર તો નામમાત્રના રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધાં જ કારણોથી સંજયે દુર્યોધનને માટે 'राजा' શબ્દનો પ્રયોગ કર્યો છે.

'आचार्यमुपसङ्गम्य' - દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે -
(૧) પોતાનો સ્વાર્થ સાધવા માટે અર્થાત્ દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને પોતાના પક્ષમાં વિશેષ રૂપે લાવવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો.
(૨) વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું.
(૩) મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભા રહેવું ઘણું જ જરૂરી હોય છે, નહિતર વ્યવસ્થા બગડી જાય છે. એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું.

અહીં શંકા થઇ શકે કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઇતું હતું, કે જેઓ સેનાપતિ હતા. છતાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જ કેમ ગયો? એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ - બંને ઉભયપક્ષપાતી હતા અર્થાત્ તેઓ કૌરવો અને પાંડવો - બંનેનો પક્ષ ખેંચતા હતા. એ બન્નેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે દ્રોણાચાર્યની સાથે દુર્યોધનના ગુરુ હોવાના સંબંધથી તો સ્નેહ હતો, પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ ન હતો; અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી. આથી એમને તાજી કરવા માટે દુર્યોધનનું એમની પાસે જવું જ યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ નથી હોતો, એની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે.

દુર્યોધનના મનમાં એ વિશ્વાસ હતો કે ભીષ્મજી તો અમારા દાદા જ છે; આથી એમની પાસે જ જાઊં તો પણ કંઇ વાંધો નથી. ન જવાથી કદાચ એ નારાજ પણ થઇ જશે તો હું કોઇક રીતે એમને રાજી કરી દઇશ. કારણ કે પિતામહ ભીષ્મની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો જ, ભીષ્નનો પણ એની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો. એટલા માટે ભીષ્મજીએ દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ વગાડ્યો. (અ. ૧/૧૨)

'वचनमब्रवीत्' - અહીં 'अब्रवीत्' કહેવું જ પૂરતું હતું; કેમ કે 'अब्रवीत्' ક્રિયાની અંતર્ગત જ 'वचनम्' આવી જાય છે અર્થાત્ દુર્યોધન બોલત, તો 'वचनम्' જ બોલત. એટલા માટે અહીં 'वचनम्' શબ્દની આવશ્યકતા ન હતી આમ છતાં 'वचनम्' શબ્દ આપવાનું તાત્પર્ય એ છે કે દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઇ જાય અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઇ જાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થઇ જાય.


[૧] - આ અધ્યાયમાં ત્રણ વાર 'दृष्ट्वा' (જોઇને) પદનો પ્રયોગ થયો છે - પાંડવસેનાને જોઇને દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જવું (અ. ૧/૨); કૌરવસેનાને જોઇને અર્જુનનું ધનુષ્યને ઉઠાવવું (અ. ૧/૨0); અને પોતાનાં સ્વજનો (કુટુંબીઓ) ને જોઇને અર્જુનનું મોહાવિષ્ટ થવું (અ. ૧/૨૮). આ ત્રણમાંથી વે 'दृष्ट्वा' તો આપસાઅપસમાં સેના જોવાને માટે વપરાયા છે અને એક 'दृष्ट्वा' સ્વજનોને જોવા માટે વપરાયું છે, જેનાથી અર્જુનનો ભાવ બદલાઇ જાય છે.

[૨] - કૌરવસેનામાં મતભીદ હતો; કારણ કે દુર્યોધન, દુઃશાસન વગેરે તો યુદ્ધ કરવાને ઇચ્છતા હતા, પરંતુ ભીષ્મ, દ્રોણ, વિકર્ણ વગેરે યુદ્ધ કરવાને ઇચ્છતા ન હતા. એ નિયમ છે કે જ્યાં આપસઆપસમાં મતભેદ હોય છે, ત્યાં તેજ (પ્રભાવ) રહેતું નથી -
काँच कटोरो कुम्भ पय मोती मिंत अवास । ताल घाव तिरिया कटक फाटा करें बिनास ॥
શ્લોક માહિતી: 
સંબંધ - ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર સંજય આગળના શ્લોકથી આપવાનો આરંભ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૩

મૂળ શ્લોક: 
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥
શ્લોક ભાવાર્થ: 
હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્હૂહરચનાથી ઊભી કરાયેલી પાંડવોની આ ઘણી મોટી સેનાને જુઓ.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'आचार्य' - દ્રોણને માટે આચાર્ય સંબોધન આપવામાં દુર્યોધનનો એવો ભાવ દેખાય છે કે આપ અમારા બધાના - કૌરવો અને પાંડવોના આચાર્ય છો. શસ્ત્રવિદ્યા શિખવનારા હોવાથી આપ બધાના ગુરુ છો. એટલા માટે આપના મનમાં કોઇનો પક્ષ અથવા આગ્રહ નહિ હોવો જોઇએ.

'तव शिष्येण धीमता' - આ પદોનો પ્રયોગ કરવામાં દુર્યોધનનો ભાવ એ છે કે આપ એટલા સરળ છો કે આપને મારવા માટે જન્મ લેવાવાળા ધૃષ્ટદ્યુમ્નને પણ આપે અસ્ત્રશસ્ત્રની વિદ્યા શિખવાડી છે; ને તે આપનો શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન એટલો બુદ્ધિમાન છે કે એણે આપને મારવા માટે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે !

'द्रुपदपुत्रेण' - આ પદ કહેવાનો આશય એ છે કે આપને મારવાના ઉદ્દેશ્યને કારણે જ દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બ્રહ્મણો પાસે યજ્ઞ કરાવ્યો, જેનાથી ધૃષ્ટદ્યુમ્ન આપની સમક્ષ (વિરોધીપક્ષે) સેનાપતિના રૂપમાં ઊભો છે.

જોકે અહીં દુર્યોધન 'દ્રુપદપુત્ર' ને સ્થાને 'ધૃષ્ટદ્યુમ્ન' પણ કહી શકતો હતો, તો પણ દ્રુપદ દ્રોણાચાર્યની સાથે જે વેર રાખતો હતો, એ વેરભાવને યાદ કરાવવાને માટે દુર્યોધન અહીં 'द्रुपदपुत्रेण' શબ્દનો પ્રયોગ કરે છે કે હવે વેર વાળવાની સારી તક છે !

'पाण्दुपुत्राणाम् एतां व्यूढां महतीं चमूं पश्य' - દ્રુપદપુત્ર દ્વારા પાંડવોની આ વ્યૂહાકારે ઊભી રખાયેલી ઘણી મોટી સેનાને જુઓ. તાત્પર્ય એ છે કે જે પાંડવો ઉપર આપ સ્નેહ રાખો છો, એ જ પાંડવોએ આપના વિરોધપક્ષે ખાસ આપને મારવાવાળા દ્રુપદપુત્રને સેનાપતિ બનાવીને વ્યૂહરચના કરવાનો અધિકાર આપ્યો છે. જો પાંડવો આપની સાથે સ્નેહ રાખતા હોત તો ઓછામાં ઓછું આપને મારવાવાળાને તો પોતાની સેનાનો મુખ્ય સેનાપતિ બનાવત નહિ, એટલો અધિકાર તો ન આપત. પરંતુ બધું જ જાણવા છતાં પણ એમણે એને જ સેનાપતિ બનાવ્યો છે.

જોકે કૌરવોની અપેક્ષાએ પાંડવોની સેના સંખ્યામાં ઓછી હતી અર્થાત્ કૌરવોની સેના અગિયાર અક્ષૌહિણી [૧] અને પાંડવોની સેના સાત અક્ષૌહિણી હતી, તોપણ દુર્યોધન પાંડવોની સેનાને ઘણી મોટી દર્શાવી રહ્યો છે. પાંડવોની સેનાને ઘણી મોટી કહેવામાં બે ભાવો જણાય છે. - (૧) પાંડવોની સેના એવી રીતે વ્યૂહાકારે ઊભી રહી હતી, જેથી દુર્યોધનને થોડી સેના પણ ઘણી જ મોટી દેખાઇ રહી હતી અને (૨) પાંડવસેનામાં સઘળેસઘળા યોદ્ધા એક મતના હતા. આ એકતાને કારણે પાંડવોની નાની સેના પણ બળમાં અને ઉત્સાહમાં મોટી દેખાઇ રહી હતી. આવી સેનાને બતાવીને દુર્યોધન દ્રોણાચાર્યને એમ કહેવા ઇચ્છે છે કે યુદ્ધ કરતી વખતે આપ આ સેનાને સામાન્ય અને નાની નહિ સમજતા. આપ વિશેષ બળનો ઉપયોગ કરીને સાવધાનીથી યુદ્ધ કરજો. પાંડવોનો સેનાપતિ તો આપનો શિષ્ય દ્રુપદપુત્ર જ છે; આથી એના ઉપર વિજય કરવો એ આપને માટે કઇ મોટી વાત છે !

'एतां पश्य' કહેવાનું તાત્પર્ય એ છે કે આ પાંડવસેના યુદ્ધને માટે તૈયાર થઇને સામે ઊભી છે. આથી એ સેના પર આપણે કઇ રીતે વિજય કરી શકીએ છીએ - એ વિષયમાં આપે જલદીમાં જલદી નિર્ણય કરકો જોઇએ.


[૧] - એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ રથ; ૨૧૮૭૦ હાથી; ૬૫૬૧૦ ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો હોય છે. (મહાભારત, આદિ. ૨/૨૩-૨૬)
શ્લોક માહિતી: 
સંબંધ - દ્રોણાચાર્યની પાસે જઇને દુર્યોધન કયાં વચનો બોલ્યા - એ વાતને આગળના શ્લોકમાં બતાવે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૪-૦૬

મૂળ શ્લોક: 
अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥ ५ ॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥ ६ ॥
શ્લોક ભાવાર્થ: 
અહીં (પાંડવોની સેનામાં) મોટાંમોટાં શૂરવીરો છે, જેમનાં ઘણાં જ મોટાંમોટાં ધનુષ્યો છે તથા જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુનના સમાન છે. તેઓમાં યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ અને મહારથી દ્રુપદ પણ છે. ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે. પુરુજિત અને કુંતીભોજ - એ બન્ને ભાઇઓ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ શૈબ્ય પણ છે. પરાક્રમી ઉત્તમૌજા પણ છે. સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ છે. એ સઘળેસઘળા મહારથી છે.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि' - જેનાથી બાણ ચલાવવામાં આવે છે કે ફેંકવામાં આવે છે, એનું નામ 'इष्वास' અર્થાત્ ધનુષ્ય છે. એવાં મોટાંમોટાં 'इष्वास' (ધનુષ્ય) જેમની પાસે છે એ બધા 'महेष्वास' છે. તાત્પર્ય એ છે કે મોટાં ધનુષ્યો ઉપર બાણ ચઢાવવામાં અને પણછ ખેંચવામાં બહુ જ બળ લગાડવું પડે છે. જોરથી ખેંચીને છોડેલું બાણ ઘણો જ પ્રહાર કરે છે. એવાં મોટાંમોટાં ધનુષ્યો પાસે હોવાને કારણે એ બધા બહુ જ બળવાન અને શૂરવીર છે. તેઓ મામૂલી યોદ્ધાઓ નથી. યુદ્ધમાં તેઓ ભીમ અને અર્જુન સમાન છે અર્થાત્ બળમાં તેઓ ભીમ સમાન અને અસ્ત્રશસ્ત્રની કળામાં તેઓ અર્જુન સમાન છે.

'युयुधानः' - યુયુધાનએ (સાત્યકિએ) અર્જુન પાસેથી અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી હતી. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દુર્યોધનને નારાયણી સેના આપવા છતાં પણ તે કૃતજ્ઞ થઇને અર્જુનના પક્ષમાં રહ્યો, દુર્યોધનના પક્ષમાં ના ગયો. દ્રોણાચાર્યના મનમાં અર્જુન પ્રત્યે દ્વેષભાવ પેદા કરવા માટે દુર્યોધન મહારથીઓમાં સૌ પહેલાં અર્જુનના શિષ્ય યુયુધાનનું નામ લે છે, તાત્પર્ય એ છે કે આ અર્જુનને તો જુઓ ! એ આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્ર ચલાવવાનું શીખ્યો છે અને આપે અર્જુનને એ વરદાન પણ આપ્યું છે કે સંસારમાં તારા સમાન બીજો કોઇ ધનુર્ધર ન બને, એવો પ્રયત્ન કરીશ [૧]. આ પ્રમાણે આપે તો આપના શિષ્ય અર્જુન ઉપર એટલો સ્નેહ રાખ્યો છે, પરંતુ એ કૃતઘ્ન થઇને આપની વિરુદ્ધ લડવાને માટે ઊભો છે, જ્યારે અર્જુનનો શિષ્ય યુયુધાન એના જ પક્ષમાં ઊભો છે.
[યુયુધાન મહાભારતના યુદ્ધમાં ન મરતાં યાદવોના આપસાઅપસના યુદ્ધમાં માર્યા ગયા.]

'विराटश्च' - જેને કારણે અમારા પક્ષના વીર સુશર્મા અપમાનિત કરાયા, આપને સંમોહન-અસ્ત્રથી મોહિત થવું પડ્યું અને અમારા લોકોને પણ જેની ગાયો છોડીને યુદ્ધથી ભાગવું પડ્યું, તે રાજા વિરટ આપના વિરોધપક્ષમાં ઊભો છે.

રાજા વિરાટની સાથે દ્રોણાચાર્યને એવો કોઇ વેરભાવ કે દ્વેષભાવ ન હતો; પરંતુ દુર્યોધન એવું સમજે છે કે જો યુયુધાન પછી હું દ્રુપદનું નામ લઉં તો દ્રોણાચાર્યના મનમાં એવો ભાવ આવી શકે છે કે દુર્યોધન પાંડવોની વિરુદ્ધમાં મને ઉશ્કેરીને યુદ્ધ માટે વિશેષપણે પ્રેરણા કરી રહ્યો છે તથા મારા મનમાં પાંડવો પ્રત્યે દ્વેષભાવ પેદા કરી રહ્યો છે. એટલા માટે દુર્યોધન દ્રુપદના નામની પહેલાં વિરાટનું નામ લે છે, જેથી દ્રોણાચાર્ય એની ચાલાકી ન સમજી શકે અને વિશેષપણે યુદ્ધ કરે. [રાજા વિરાટ ઉત્તર, શ્વેત અને શંખ નામના ત્રણે પુત્રો સહિત મહાભારતના યુદ્ધમાં મરણ પામ્યા.]

'द्रुपदश्च महारथः' - આપે તો દ્રુપદને પહેલાંની મિત્રતાની યાદ કરાવી, પણ તેણે સભામાં એવું કહીને આપનું અપમાન કર્યું કે હું રાજા છું અને તમે ભીખારી છો; આથી મારી અને તમારી મિત્રતા કેવી? તથા વેરભાવને કારણે આપને મારવાને માટે પુત્ર પણ પેદા કર્યો, એ જ મહારથી દ્રુપદ આપની સાથે લડવા માટે વિરોધ પક્ષમાં ઊભો છે.  [રાજા દ્રુપદ યુદ્ધમાં દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]

'धृष्टकेतुः' - આ ધૃષ્ટકેતુ કેટલો મૂર્ખ છે કે જેના પિતા શિશુપાલમે શ્રીકૃષ્ણે ભરી સભામાં ચક્રથી મારી નાખ્યો હતો, એ જ શ્રીકૃષ્ણના પક્ષમાં એ લડવાને માટે ઊભો છે. [ધૃષ્ટકેતુ દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]

'चेकितानः' - બધી યાધવસેના તો અમારા તરફથી લડવાને માટે તૈયાર છે અને આ યાદવ ચેકિતાન પાંડવોની સેનામાં ઊભો છે. [ચેકિતાન દુર્યોધનને હાથે માર્યા ગયા.]

'काशिराजश्च वीर्यवान्' - આ કાશીરાજ ઘણો જ શૂરવીર અને મહારથી છે. એ પણ પાંડવોની સેનામાં ઊભો છે. એટલે આપ સાવધાનીથી યુદ્ધ કરજો; કારણ કે એ મોટો પરાક્રમી છે. [કાશીરાજ મહાભારતના યુદ્ધમાં માર્યા ગયા.]

'पुरुजित्कुन्तिभोजश्च' - જો કે યુરુજિત અને કુંતીભોજ - એ બન્ને કુંતીના ભાઇ હોવાથી અમારા અને પાંડવોના મામા છે, તો પણ એમના મનમાં પક્ષપાત હોવાને કારણે એ અમારી વિરુદ્ધના પક્ષે યુદ્ધ કરવાને માટે ઊભા છે. [પુરુજિત અને કુંતીભોજ - બન્નેય યુદ્ધમાં દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]

'शैब्यश्च नरपुङ्गवः' - આ શૈબ્ય યુધિષ્ઠિરના સસરા છે. એ મનુષ્યોમાં શ્રેષ્ઠ અને બહુ જ બળવાન છે. પરિવારને સંબંધે એ પણ અમારા સંબંધી છે. પરંતુ એ પાંડવોને જ પક્ષે ઊભા છે.

'युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्' - પાંચાલદેશના મહા બળવાન અને વીર યોદ્ધા યુધામન્યુ તથા ઉત્તમૌજા મારા શત્રુ અર્જુનના રથનાં પૈડાંઓની રક્ષા કરવા માટે નિમાયા છે. આપ એમની તરફ પણ નજર રાખજો. [રાત્રે સૂઇ ગયેલા એ બન્નેને અશ્વર્થામાએ મારી નાખ્યા.]

'सौभद्रः' - આ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ છે. એ બહુ જ શૂરવીર છે. એણે ગર્ભમાં જ ચક્રવ્યૂહભેદનની વિદ્યા શીખી છે. આથી ચક્રવ્યૂહરચનાને વખતે આપ એનો ખ્યાલ રાખજો. [યુદ્ધમાં દુઃશાસનના પુત્ર દ્વારા અન્યાયપૂર્વક શિર ઉપર ગદાનો પ્રહાર કરવાથી અભિમન્યુ યુદ્ધમાં માર્યા ગયા.]

'द्रौपदेयाश्च' - યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ - આ પાંચેય દ્વારા દ્રૌપદીના ગર્ભથી અનુક્રમે પ્રતિવિન્ધ્ય, સુતસોમ, શ્રુતકર્મા, શતાનીક અને શ્રુતસેન જન્મ્યા છે. આ પાંચેયને આપ જોઇ લો. દ્રૌપદીએ ભરી સભામાં મારી હાંસી ઉડાવીને મારાને હ્રદયને બાળ્યું છે, એના જ આ પાંચેય પુત્રોને યુદ્ધમાં મારીને આપ એનો બદલો વાળો. [રાત્રે સૂતેલા આ પાંચેયને અશ્વત્થામાએ મારી નાખ્યા.]

'सर्व एव महारथाः' - આ શઘળેસઘણા મહારથીઓ છે. જેઓ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યા - બન્નેમાં પ્રવીણ છે અને યુદ્ધમાં એકલા જ એક સાથે દસ હજાર ધનુર્ધારી યોદ્ધાઓનું સંચાલન કરી શકે, એવા વીર પુરુષને મહારથી કહે છે [૨]. એવા ઘણા મહારથીઓ પાંડવસેનામાં ઊભા છે.


[૧] - प्रयतिष्य़े तथा कर्तुं यथा नान्यो धनुर्धरः । त्वत्समो भविता लोके सत्यमेतद् ब्रवीमि ते ॥ (મહાભારત, આદિ. ૧૩૧/૨૭)

[૨] - एको दशसहस्राणि योधयेद् यस्तु धन्विनाम् । शस्त्रशास्त्रप्रवीणश्च महारथ इति स्मृतः ॥
શ્લોક માહિતી: 
સંબંધ - દ્રોણાચાર્યને પાંડવોની સેના જોવા મટે વિનંતી કરીને હવે દુર્યોધન તેમને પાંડવોની સેનાના મહારથીઓને બતાવે છે.