Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૫ -પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા

ભાગવત રહસ્ય-૫

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" - ૫

જીવ નારાયણ નો અંશ છે,તેમાં તેને મળી જવું છે.

તે માટે શાસ્ત્ર માં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે.—કર્મ માર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ .

પરમાત્મા નાં દર્શન નું સાધન અનેક ગ્રંથો માં આપ્યું છે.ઉપનિષદ માં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.

પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદ ની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ.

ઉપનિષદ નું જ્ઞાન દિવ્ય છે,પણ આપણા જેવા વિલાસી લોકો તેનો અનુભવ કરી શકતા નથી.મનુષ્ય નું જીવન અતિ વિલાસી થયું છે,તેથી

જ્ઞાનમાર્ગ થી જીવ ઈશ્વર પાસે જઈ શકે તે સંભવિત નથી.અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ના થાય.જ્ઞાન નો પાયો છે –વૈરાગ્ય.

એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. શુકદેવજી મહારાજ ને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. જન્મતાં જ તેઓએ વન તરફ પ્રયાણ કર્યું.

પિતાને કહ્યું-તમે મારા પિતા નહિ અને હું તમારો પુત્ર નહિ.

વેદ ત્યાગ કરવાનું કહે છે.ઉપનિષદ એમ કહે છે કે –બધુ છોડવું જ પડશે.--પૂર્ણ નિવૃત્તિ લેવી જ પડશે.પરમાત્મા માટે બધુ છોડશો તો

પરમાત્મા મળશે.ઉપનિષદ નિવૃત્તિ પ્રેરક ગ્રંથ છે. ઉપનિષદ સર્વ છોડવાનું કહે છે-કામ છોડો-ક્રોધ છોડો-લોભ છોડો.

પરંતુ મનુષ્ય કંઈ છોડી શકતો નથી. જે ચા,પાનસોપારી છોડી શકતો નથી,તે કામ,ક્રોધ,લોભ,ઘર કેવી રીતે છોડી શકશે?

વેદાંત તો કહે છે કે-બધુ છોડીને –સર્વસ્વ નો ત્યાગ કરીને –ઈશ્વર પાછળ પડો તો જ ઈશ્વરને ઓળખી શકો.

સર્વ નો ત્યાગ કરવો સામાન્ય મનુષ્ય માટે સુલભ નથી.

વેદના ચાર વિભાગો છે.—સંહિતા-બ્રાહ્મણ-આરણ્યક-ઉપનિષદ.

વેદનો- સંહિતા -ભાગ –મંત્રરૂપે- છે, બ્રાહ્મણ-ભાગ-સંહિતા નું –ભાસ્ય –છે.

વેદ નો અર્થ વેદાંત-અંત નો અર્થ-સમાપ્તિ. વેદની સમાપ્તિ થાય છે- ઉપનિષદ- માં. તેથી તેને વેદાંત કહે છે.

આરણ્યક માં –ઉપનિષદ-નો ભાગ આવે છે.

અરણ્ય માં રહી-અતિ સાત્વિક-વિરક્ત- જીવન ગાળનાર ઋષિઓ –જે ગ્રંથ નું ચિંતન કરે છે-તેને આરણ્યક કહે છે.

આવા સાત્વિક-વિરક્ત જીવન ગાળનાર ને ઉપનિષદ નો અધિકાર આપ્યો છે. વેદાંત નો અધિકાર સર્વ ને આપ્યો નથી.

બંગલા માં ભોગ-વિલાસ માં રહેતા વિલાસી જીવ વેદાંત ની વાતો કરે તે યોગ્ય નથી.તે અધિકારી પણ નથી.

આપણા જેવા,સંસાર માં ફસાયેલા જીવો ઉપનિષદ નું જ્ઞાન પચાવી પણ શકશે નહિ.

ત્યાગ વિના-વૈરાગ્ય વિના-જ્ઞાન માર્ગ માં સફળતા મળતી નથી.

વ્યાસજી ને લાગ્યું કે કલિયુગ માં મનુષ્ય નું જીવન અર્થ પ્રધાન હશે,એમને ત્યાગ નહિ રુચે. વિલાસ પ્રિય લોકો ને

ત્યાગ નો ઉપદેશ અસર કરવાનો નથી.કલિયુગ માં માનવી વિલાસી થશે,તે યોગ સિદ્ધ કરી શકશે નહિ.

પહેલાં ત્યાગપ્રધાન અને જ્ઞાનપ્રધાન સમાજ હતો.પણ હવે પૈસાથી જ સુખ મળે છે-તેમ લોકો માનવા લાગ્યા છે.

પૈસો કઈક ભૌતિક સુખ આપે છે,પણ અંદરની પૂર્ણ શાંતિ પૈસાથી મળતી નથી.

મને ઘણાં પૈસાદારો મળે છે,મને કહે છે કે,-મહારાજ શાંતિ નથી. હું તેમને પુછું છુ કે –તમારે બે બંગલા છે-મોટર છે-

તમને શું દુઃખ છે?—તો કહે છે કે –વેવાણ સારી નથી મળી-છોકરીને બહુ દુઃખ આપે છે.

જગત માં શાંતિ તેને મળે છે કે –જે ભક્તિ ના પ્રેમ રસ થી રંગાય.

મનુષ્યના જીવન નો ઘણો સમય પૈસો લઇ જાય છે.જરૂરિયાતો બહુ વધી –એટલે –પૈસા મેળવવા સમયનો ભોગ આપવો જ પડે છે.

વ્યાસજી એ વિચાર કર્યો કે-કલિયુગ ના વિલાસી લોકો ને ઉપનિષદ નો માર્ગ મદદકર્તા થશે નહિ.

પાંચ હજાર વર્ષ પહેલા વ્યાસજી ને ખાતરી થઇ કે –કલિયુગ ના લોકો વિલાસી થશે.તેને પરમાત્મા ના દર્શન થશે નહિ.

બંગલામાં માં પડ્યા પડ્યા-ઉપનિષદ ની વાતો કરે તે સારું નથી.-બ્રહમ સત્ય છે-જગત મિથ્યા –છે.

પણ બજાર માં ભાવ બેસી જાય ત્યારે સમજાય છે કે બ્રહ્મ સત્ય છે કે પૈસા?

કલિયુગ માં જ્ઞાન માર્ગે પરમાત્મા નો સાક્ષાત્કાર કરવો કઠણ છે તે વિચારી વ્યાસજી એ ભાગવત ની રચના કરી છે. 

સામાન્ય મનુષ્ય જે ચા,પણ સોપારી છોડી શકતો નથી,બે-ચાર કલાક  કથામાં છીકણી ની ડબ્બી છોડી શકતો નથી,

તેને કહો કે-કામ છોડો-ક્રોધ છોડો-તો તમને ભગવાન મળશે. તો તે કહેશે કે-એ તો છોડાય તેમ નથી.ભગવાન

મળવાના હશે તો મળશે.

તમે એકદમ બધુ છોડી ના શકો તો હરકત નહિ.ધીરે ધીરે સંયમ-વિવેક ને વધારજો.આ બધુ આપ્યું છે તે પરમાત્માનું છે.

તેનો વિવેક થી ઉપયોગ કરજો.

જે કામસુખ ભોગવે છે તે યોગાભ્યાસ કરી શકવાનો નથી.ભોગી –જો યોગી થવા જશે તો રોગી થશે.

જ્ઞાન માર્ગ માં જેનું પતન થાય છે –તે નાસ્તિક બને છે.

યોગ માર્ગ માં જેનું પતન થાય છે-તે રોગી બને છે.

ભક્તિ માર્ગ માં જેનું પતન થાય છે-તે આસક્ત બને છે.

ભાગવત શાસ્ત્ર ની રચના કલિયુગના જીવો નો ઉદ્ધાર કરવાં માટે કરવામાં આવી છે.

આપણા જેવા સાધારણ જીવો નું કલ્યાણ થાય –તે માટે વ્યાસજી એ ભાગવત ગ્રંથ ની રચના કરી છે.


No comments:

Post a Comment