Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૩- પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા

 

 

ભાગવત રહસ્ય-૩

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" - ૩


મંદિર માં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વ-રૂપ નો અનુભવ કરે છે.

મન જ્યાં જાય ત્યાં ઈશ્વર નાં દર્શન કરે તે જ ઈશ્વર નું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે - તે સર્વ માં છે ,એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મ રૂપે દેખાય છે ,તે જ્ઞાની છે.

સર્વ માં પરમાત્મા નો અનુભવ કરતા તેને પોતાના સ્વ-રૂપ માં પણ પરમાત્મા નો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય.ઉપનિષદ માં તેને અપરોક્ષ દર્શન કહે છે.

ઈશ્વરને અન્ય સ્થળે વિચારવો તેને પરોક્ષ દર્શન કહે છે,જે દર્શન થી બહુ લાભ નથી.પણ પરમાત્મા અપરોક્ષ દર્શન થી જીવ કૃતાર્થ થાય છે.

જ્ઞાની પુરુષ ને પોતાના સ્વ-રૂપ માં ભગવાન દેખાય છે ,એટલે (બંને આત્મા અને પરમાત્મા -એક થઇ) અદ્વૈત થાય છે.

શ્રી કૃષ્ણલીલા એટલા માટે છે કે –આ લીલા ઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપ માં પરમાત્મા નો અનુભવ કરે.

લાલી મેરે લાલકી સબ જગ રહી સમાઈ,લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ.

ગોપી ઓ ને પોતાના સ્વ-રૂપ નું વિસ્મરણ થયું અને બોલે છે કે-

ઢૂંઢા સબ જહામે,પાયા પતા તેરા નહિ,જબ પતા તેરા લગા, તો અબ પતા મેરા નહિ.

કૃષ્ણ નો સર્વ માં અનુભવ કરતાં ગોપી ઓ કૃષ્ણમય બની છે.

પોતાની અંદર જેને પરમાત્મા દેખાય ,પરમાત્મા નો જેને સાક્ષાત્કાર થાય ,તે પછી ઈશ્વર થી જુદો રહી શકતો નથી,ઈશ્વરમાં મળી જાય છે.

આ ભાગવત નું ફળ છે.

ભગવાન ગોલોક માં વિરાજે છે ,એવું જ્ઞાન તે સાધારણ જ્ઞાન છે.જે આપણા માટે બહુ ઉપયોગી નથી.

ગોલોકમાં વિરાજતા ભગવાન ને પોતાના હૃદય પ્રદેશમાં પધરાવી ,પોતાનામાંજ પરમાત્મા નાં દર્શન નો અનુભવ કરો.

જગતના દરેક પદાર્થ માં પ્રભુ વિરાજેલા છે,તો મારામાં પણ તે પરમાત્મા વિરાજેલા છે.

પોતાના માં અને સર્વ માં એક પરમાત્મા નાં દર્શન કરવાં,એ ભાગવત નું ફળ છે.

જયારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે-શ્રી કૃષ્ણ મથુરામાં આનંદ થી વિરાજે છે.ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો છે.

ઉદ્ધવ,સર્વ વ્યાપક શ્રી કૃષ્ણ ને તું કેવળ મથુરામાં રાખે છે? વ્યાપક નો કોઈ ઠેકાણે અભાવ થઇ શકતો નથી.ઉદ્ધવ,અમારા કૃષ્ણ તો ગોકુલ છોડી ગયા જ નથી.

અમે તો “કૃષ્ણ-કૃષ્ણ” કહીએ એટલે તેઓ અમારી આંખો સમક્ષ હાજર થાય છે.

ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે—સગુણ નાં આધારે નિર્ગુણ નો અનુભવ કરવાનો હોય છે.

ગોપી કહે છે—મારા શ્રી કૃષ્ણ શું મારાથી જુદા છે?મારા શ્રી કૃષ્ણ મને છોડીને ગયા જ નથી.સાંજે જમનાજી જળ ભરવા ગઈ હતી,અંધારું થયું હતું,મને એમ થયું કે કોણ માથે બેડલું

ચડાવશે?ત્યાં તો અવાજ સંભળાયો,સખી,હું તારી અંદર છું,હું તને છોડીને ગયો નથી.

મે કૃષ્ણ ને પૂછ્યું,-તમે અમને છોડીને મથુરા ગયા હતા,તે ક્યારે પાછા આવ્યા? કૃષ્ણે કહ્યું-અલી બાવરી ગોપી,હું તને છોડીને ગયો નથી.

પરમાત્મા પ્રેમ પરતંત્ર છે.ઉદ્ધવ,મારા કૃષ્ણ મને છોડી ને ગયા જ નથી. ઉદ્દવ નું જ્ઞાનાભિમાન ત્યાં ઉતર્યું છે.ગોપી-કૃષ્ણ એક જ છે.

જેને સર્વ માં ભગવાન નાં દર્શન થતા નથી એ માનવીને પરમાત્મા નો વિયોગ થાય છે.અને પરમાત્માનો વિયોગ થવાથી જીવ અશાંત થાય છે.અને તેના હાથે પાપ થાય છે.

પ્રભુનો વિયોગ એ મહાન દુઃખ છે.જેને પોતાની અંદર પરમાત્મા દેખાય છે તેને ઈશ્વર એક ક્ષણ પણ છોડી શકે નહિ.

ઘડામાંનાં ઘટાકાશ માંથી જેમ પોલાણ બહાર નીકળી શકતું નથી,તેમ જ્ઞાની ને પરમાત્મા છોડી શકતા નથી.

સુરદાસને બહાર અને અંદર પરમાત્મા દેખાય છે,પોતાની અંદર પરમાત્મા નો અનુભવ કરે છે.આ અનુભવ એ જ ભાગવત નું ફળ છે.

ભાગવત એ દર્શન શાસ્ત્ર છે,

ભાગવત વાંચ્યા પછી મનુષ્ય નો સ્વભાવ સરળ થાય છે.પોતાના દોષ નું દર્શન થાય છે.ભાગવત મન ને સુધારે છે,દ્રષ્ટિ ને દિવ્ય બનાવે છે.

પરમાત્મા નાં દર્શન કરવાનું સરળ સાધન જે ગ્રંથ માં બતાવ્યું છે,તે ભાગવત,

બીજા ઘણાં શાસ્ત્રો છે,પણ ભાગવત નું દર્શન અલૌકિક છે. 

No comments:

Post a Comment