Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતા દ્વારા સામ્ય બુદ્ધિની પ્રાપ્તિ.

ગીતા દ્વારા સામ્ય બુદ્ધિની પ્રાપ્તિ.   

ગીતા એક પવિત્ર સામ્ય  બુદ્ધિ પ્ર્રાપ્ત કરવાનો  ગ્રંથ માનવામાં આવેલ છે, જો કે જુદી જુદી વિચાર ધારાઓએ પોત પોતાના સંપ્રદાયો અને ધાર્મિક વીચારોને ધ્યાનમાં રાખીને ગીતા ઉપર અનેક ટીકાઓ અને ભાષ્યો પોતાને અનુકુળ હોય તેવા  લખવામાં આવેલ છે ,જેમાં દરેકે પોત પોતાની રીતે પોતાના સંપ્રદાયને અનુરૂપ  ગીતાની વ્યાખ્યા કરવામાં આવેલ છે, જે કાંઈ ભાષ્યો  આજે ઉપલબ્ધ છે, તેમાં શંકરા ચાર્યનું  ભાષ્ય જૂનામાં જુનું છે ,જે અત્યારે ઉપલબ્ધ છે, તેમાં દર્શાવેલ છે,કે  પોતે તે  વખતના બીજા ચાલુ  ભાશ્યોનું પોતાના  ભાષ્યમાં ખંડન કરવામાં આવેલ છે,તેમાનું એક પણ ભાષ્ય આજે ઉપલબ્ધ નથી ,એટલે શંકરા ચાર્યનાં ભાષ્ય પહેલા પણ ગીતા અંગે અનેક વિચારો ચાલતા હતા , તે આનાં પરથી  સાબિત થાય છે,અને તે જ્ઞાન કર્મ  ભક્તિ અને યોગ ઉપર જુદા જુદા ભાષ્યો  હતા એમ જરૂર કહી શકાય, કારણકે શંકરા ચાર્ય એ આ ભાશ્યોનું  ખંડન કરેલ છે ને કહ્યું છે, કે કર્મ એ તો માત્ર ચિત્ત શુધ્ધીનું સાધન છે, તેનાથી મોક્ષ પ્રાપ્ત થાય નહિ,ચિત શુદ્ધિ થાય પછી તમામ કર્મો છોડી દેવા જોઈએ તો જ મોક્ષ પ્રાપ્ત થાય તેમ સ્પષ્ટ કહ્યું છે,આ તેમનો મૂળભૂત સીધ્ધાંત  છે ,
ગીતાની વ્યાખ્યા કરતી વખતે શંકારાં ચાર્યે એ મત ઉપર મુખ્ય જોર દીધું છે, કે યથાર્થ જ્ઞાન  વેદિક કર્તવ્યો  અથવા ધર્મ શાસ્ત્રોક્તની સાથે સંમિશ્રિત કરી શકાય તેમ નથી ,
જો અજ્ઞાન વશ અથવા આસક્તિ વશ કોઈ માણસ શ્રુતિમાં બતાવ્યા પ્રમાણેના કર્તવ્યો નું પાલન કરતો રહે , અને જો યજ્ઞ,દાન તપ વગેરે પ્રકારની ધાર્મિક તપશ્યા કરે તેને પરિણામે એનું મન પવિત્ર થઇ જાય છે, તે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે,
જયારે કોઈ વ્યક્તિ કોઈપણ જાતની ઈચ્છા રહિત થઈને કર્મ કરે છે, ત્યારે તે કર્મ કરે છે, એમ કહી શકાય નહી, જેના કર્મમાં કામના હાજર છે,તેજ કર્મનો કરતા છે,અને  જે માણસ કામના રહિત છે, તે બુધ્ધીમાન માણસ છે, વસ્તુત:કર્મ નહી કરતો પણ બાહ્ય દ્રષ્ટિથી તે કેવળ સાધારણ વ્યક્તિની જેમ કર્મ કરે છે.
કર્મની આવશ્યકતા માત્ર આત્મ સાક્ષાત્કાર સુધી જ સ્વીકારે છે, તેમના મતે  પૂર્ણતાને પહોચ્યા પછી માણસે કર્મ કરવા જોઈએ નહી એમ તેઓ સ્પષ્ટ કહે છે કે જ્ઞાન દ્વારાજ મોક્ષ પ્રાપ્ત થાય છે, જ્ઞાન તથા નિત્ય કર્મોનું એક સાથે હોવું સંભવ નથી ,શંકરા ચાર્ય સ્પષ્ટ માને છે, કે અજ્ઞાન અવસ્થામાં જ કર્મ કરવું આવશ્યક છે. પણ જ્ઞાનની અવસ્થામાં નહી ,જે સમયે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે અજ્ઞાન નાબુદ થાય છે,આ સ્થિતિમાં દ્વેતભાવ  જ નષ્ટ થઇ જાય ,અને અદ્વેત્તા પ્રાપ્ત થાય છે, કારણકે કર્તવ્ય પાલન માટે જ પોતાના ઉત્તર દાયીત્વનો અંગીકાર કરવો તેજ દ્વેતભાવ છે, આવા સિદ્ધાંતો નું વર્ણન શંકરા ચાર્ય એ પ્રતિપાદન  કરેલ જોઈ શકાય છે,.
શંકરા ચાર્યે  ગીતાના ત્રીજા અધ્યાયના પહેલા શ્લોકની વ્યાખ્યા કરતી વખતે કેટલાક પૂર્વ ભાશ્ય કારોના મતોની આલોચના કરતા કહ્યું છે,તેમનું ખંડન કરેલ છે,
જે સમયે બ્રહ્મનું તાદાત્મનું  યથાર્થ જ્ઞાન ઉદિત થાય છે, ત્યારે અજ્ઞાન નો નાશ  થાય છે ,આ સ્થિતિમાં દ્વેત ભાવ પણ નષ્ટ થઇ જાય છે, અને અદ્વેત્તતાં પ્રાપ્ત થાય છે જેને  મોક્ષ કહ્યો છે ટુકમાં માણસે  કોઈ પણ રીતે શુદ્ધતા પ્રાપ્ત કરવી જ પડે છે એમ શંકરા ચાર્ય સ્પષ્ટ કહે છે, આમ  સામ્યબુધ્ધીની  બુદ્ધિની પ્રાપ્તિ એજ મોક્ષની સ્થિતિ છે.

No comments:

Post a Comment