Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

અધ્યાય ૦૧ - શ્લોક ૧૧

અધ્યાય ૦૧ - શ્લોક ૧૧

મૂળ શ્લોક: 
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥ ११ ॥
શ્લોક ભાવાર્થ: 
આપ સઘળેસઘળા લોકો બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગાએ દ્રઠતાથી ઊભા રહીને જ પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
મોરચાઓ ઉપર આપની નિમણૂક કરવામાં આવી છે, આપ સર્વ યોદ્ધાઓ તે મોરચાઓ ઉપર મક્કમતાપૂર્વક સ્થિર રહીને બધી બાજુથી અને બધી રાતે ભીષ્મજીનું રક્ષણ કરો.

ભીષ્મજીનું બધી બાજુથી રક્ષણ કરો - એમ કહીને દુર્યોધન ભીષ્મજીને અંદરખાનેથી પોતાના પક્ષમાં લાવવા માગે છે. એવું કહેવાનો બીજો ભાવ એ છે કે જ્યારે ભીષ્મજી યુદ્ધ કરે, ત્યારે કોઇ પણ વ્યૂહદ્વારેથી શિખંડી એમની સામે ન આવી જાય - એનું આપ લોકો ધ્યાન રાખજો. જો શિખંડી એમની સામે આવી જશે, તો ભીષ્મજી એના ઉપર શસ્ત્રાસ્ત્રો નહિ ચલાવે. કારણ કે શિખંડી પૂર્વ જન્મમાં સ્ત્રી હતો અને આ જન્મમાં પણ પ્રથમ સ્ત્રી હતો, પાછણથી પુરુષ બન્યો છે. એટલા માટે ભીષ્મજી અને સ્ત્રી જ માને છે અને એમણે શિખંડી સાથે યુદ્ધ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી રાખી છે. આ શિખંડી શંકરના વરદાનથી ભીષ્મજીને મારવા માટે જ જન્મ્યો છે. આથી જો શિખંડીથી ભીષ્મજીનું રક્ષણ થઇ જશે, તો પછી તેઓ બધાને મારી નાખશે, જેથી ચોક્કસ અમારો જ વિજય થશે. આ વાતને લીધે દુર્યોધન બધા મહારથીઓને ભીષ્મજીનું રક્ષણ કરવાને માટે કહે છે.
શ્લોક માહિતી: 
સંબંધ - હવે દુર્યોધન પિતામહ ભીષ્મને પ્રસન્ન કરવા પોતાની સેનાના બધા મહારથીઓને સંબોધીને કહે છે.

No comments:

Post a Comment