Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

અધ્યાય ૦૧ - શ્લોક ૧૭-૧૮

અધ્યાય ૦૧ - શ્લોક ૧૭-૧૮

મૂળ શ્લોક: 
काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥ १७ ॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्नुः पृथक्पृथक् ॥ १८ ॥
શ્લોક ભાવાર્થ: 
હે રાજન ! શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજ અને મહારથી શિખંડી તથા ધૃષ્ટદ્યુમ્ન તેમ જ રાજા વિરાટ અને અજેય સાત્યકિ, રાજા દ્રુપદ અને દ્રૌપદીના પાંચેય પુત્રો તથા લાંબીલાંબી ભુજાઓવાળા સુભદ્રાપુત્ર અભિમન્યુ - એ બધાએ બધી દિશાઓમાંથી અલગ-અલગ (પોતપોતાના) શંખો વગાડ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
મહારથી શિખંડી ઘણો જ શૂરવીર હતો. તે પૂર્વજન્મમાં સ્ત્રી (કાશીરાજની પુત્રી અંબા) હતો અને આ જન્મમાં પણ રાજા દ્રુપદને પુત્રીરૂપે મળેલો હતો. આગણ જતાં આ જ શિખંડી સ્થૂણાકર્ણ નામના યક્ષ દ્વારા પુરુષત્વ પ્રાપ્ત કરી પુરુષ બન્યો. ભીષ્મજી આ બધી વાતોને જાણતા હતા, અને શિખંડીને સ્ત્રી જ સમજતા હતા. આ કારણથી તેઓ એના ઉપર બાણ ચલાવતા ન હતા. અર્જુને યુદ્ધને વખતે એને જ આગળ કરીને ભીષ્મજી ઉપર બાણ ચલાવ્યાં અને એમને રથ ઉપરથી નીચે પાડી નાખ્યા.

અર્જુનનો પુત્ર અભિમન્યુ બહુ જ શૂરવીર હતો. યુદ્ધ સમયે એણે દ્રોણાચાર્યે રચેલા ચક્રવ્યૂહમાં ઘૂસીને પોતાના પરાક્રમથી ઘણા બધા વીરોનો સંહાર કર્યો, છેલ્લે કૌરવસેનાના છ મહારથીઓએ એને અન્યાયપૂર્વક ઘેરી લઇને એના ઉપર ગદાનો પ્રહાર થવાથી એનું મૃત્યુ થઇ ગયું.

સંજયે શંખવાદનના વર્ણનમાં કૌરવસેનાના શૂરવીરોમાંથી માત્ર ભીષ્મજીનું જ નામ લીધું અને પાંડવસેનાના શૂરવીરોમાંથી ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન, ભીમ વગેરે અઢાર વીરોનાં નામ લીધાં. એનાથી એવી પ્રતીતિ થાય છે કે સંજયના મનમાં અધર્મના પક્ષ (કૌરવસેના) નો આદર નથી. એટલે એ અધર્મના પક્ષનું અધિક વર્ણન કરવાનું યોગ્ય માનતા નથી. પરંતુ એમના મનમાં ધર્મના પક્ષ (પાંડવસેના) નો આદર હોવાથી અને ભગવાન શ્રીકૃષ્ણ તથા પાંડવો પ્રત્યે આદરભાવ હોવાથી તેઓ એમના પક્ષનું જ વધારે વર્ણન કરવાનું યોગ્ય માને છે, અને એમના પક્ષનું વર્ણન કરવામાં જ એમને આનંદ આવી રહ્યો છે.

No comments:

Post a Comment