Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

અધ્યાય ૦૧ - શ્લોક ૧૩

અધ્યાય ૦૧ - શ્લોક ૧૩

સંબંધ - પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો એનું પરિણામ શું આવ્યું, એ વાત સંજય આગળના શ્લોકમાં કહે છે.

ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्य स शब्दस्तुमुलोङभवत् ॥ १३ ॥

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ ।
સહસૈવાભ્યહન્ય સ શબ્દસ્તુમુલોઙભવત્ ॥ ૧૩ ॥

[ભાવાર્થ]
એ પચી શંખ, ભેરી (નગારાં), ઢોલ, મૃદંગ અને રણશિંગાં વગેરે વાજાં એક સાથે વાગી ઊઠ્યાં. એમનો એ શબ્દ ઘણો ભયંકર થયો.

[ટીકા]
'ततः शंङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः' - જોકે ભીષ્મજીએ યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો. પરંતુ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તો પણ કૌરવોની સેના ભીષ્મજીના શંખનાદને યુદ્ધની ઘોષણા જ સમજી. આથી ભીષ્મજીએ શંખ વાગાડ્યો એટલે કૌરવસેનાનાં શંખ વગેરે સઘળાં વાજાં એક સાથે વાગી ઊઠ્યાં.

'शंख' સમુદ્રમાંથી થાય છે. એ ઠાકોરજીની સેવાપૂજામાં રાખવામાં આવે છે અને આરતી ઉતારવી વગેરે કામોમાં આવે છે. માંગલિક કાર્યોમાં તથા યુદ્ધના આરંભમાં એમાં મોઢાની ફૂંક મારીને વગાડવામાં આવે છે. 'भेरी' નગારાને કહે છે (જે મોટાં નગારાં છે, એને નોબત કહે છે.) એ નગારાં લોઢાનાં બનેલા હોય છે અને ભેંસના ચામડાથી મઢેલાં હોય છે, તથા લાકડાના દાંડિયથી વગાડવામાં આવે છે. એ મંદિરોમાં અને રાજાના કિલ્લઓમાં રાખવામાં આવે છે. ઉત્સવ અને માંગલિક કાર્યોમાં એ ખાસ વગાડવામાં આવે છે. રાજાઓને ત્યાં એ દરરોજ વગાડવામાં આવે છે. 'पणव' ઢોલને કહે છે. એ લોઢા કે લાકડાનાં બનેલાં હોય છે અને બકરાના ચામડાથી મઢેલાં હોય છે, તથા હાથથી કે લાકડાના દાંડિયાથી વગાદવામાં આવે છે. એ આકારમાં ઢોલકી જેવાં હોવા છતાં પણ ઢોલકીથી મોટાં હોય છે. કાર્યના આરંભમાં પણવ વગાડવાને ગણપતિના પૂજન સમાન કલ્યાણ કરનારું માનવામાં આવે છે. 'आनक' મૃદંગને કહે છે, એને પખવાજ પણ કહે છે. આકારમાં એ લાકડામાંથી બનાવેલી ઢોલકી જેવું હોય છે. એ માટીમાંથી બનેલ હોય છે, ચામડાથી મઢેલ હોય છે અને હાથથી વગાડવામાં આવે છે. 'गोमुख' રણશિંગાને કહે છે. આકારમાં એ સાપ જેવું વાંકું હોય છે અને એનું મોઢું ગાયના જેવું હોય છે. એ મોઢાથી ફૂંકીને વગાડવામાં આવે છે.

'सहसैवाभ्यहन्यन्त' [૧] - કૌરવસેનામાં ઉત્સાહ ઘણો જ હતો. એટલા માટે પિતામહ ભીષ્મનો શંખ વાગતાંની સાથે જ કૌરવસેનાનાં બધાં વાજાં અનાયાસે જ એક સાથે વાગી ઊઠ્યાં. એમના વાગવામાં વાર ન લાગી અને એમને વગાડવામાં પરિશ્રમ પણ થયો નહિ.

'स शब्दस्तुमुलोङभवत्' - જુદાજુદા વિભાગોમાં, ટુકડીમાં ઊભેલી કૌરવ સેનાનાં શંખ વગેરે વાજાંઓનો અવાજ ઘણો ભયંકર થયો અર્થાત્ એમનો અવાજ ઘણા જોરથી ગૂંજતો રહ્યો.

======== * ========
[૧] - કર્મને અત્યંત સુગમતાપૂર્વકનું દર્શાવવા માટે જ્યારે કર્મ વગેરેને જ કર્તા બનાવવામાં આવે છે ત્યારે 'कर्मकर्तु' પ્રયોગ થયો કહેવાય છે. દા.ત. કોઇ લાકડું ફાડે છે, તો આ ફાડવાના કર્મને સહેલું દર્શાવવા માટે 'લાકડું ફડાઇ રહ્યું છે' એવો પ્રયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે અહીં 'વાજાં વગાડ્યાં' એવો પ્રયોગ હોવો જોઇએ; પરંતુ વાજાં વગાડવાનું સહેલું છે તેમ બતાવવા માટે અને સેનાનો ઉત્સાહ દર્શાવવાને માટે 'વાજાં વાગી ઊઠ્યાં' એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
મૂળ શ્લોક: 
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्य स शब्दस्तुमुलोङभवत् ॥ १३ ॥
શ્લોક ભાવાર્થ: 
એ પચી શંખ, ભેરી (નગારાં), ઢોલ, મૃદંગ અને રણશિંગાં વગેરે વાજાં એક સાથે વાગી ઊઠ્યાં. એમનો એ શબ્દ ઘણો ભયંકર થયો.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'ततः शंङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः' - જોકે ભીષ્મજીએ યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો. પરંતુ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તો પણ કૌરવોની સેના ભીષ્મજીના શંખનાદને યુદ્ધની ઘોષણા જ સમજી. આથી ભીષ્મજીએ શંખ વાગાડ્યો એટલે કૌરવસેનાનાં શંખ વગેરે સઘળાં વાજાં એક સાથે વાગી ઊઠ્યાં.

'शंख' સમુદ્રમાંથી થાય છે. એ ઠાકોરજીની સેવાપૂજામાં રાખવામાં આવે છે અને આરતી ઉતારવી વગેરે કામોમાં આવે છે. માંગલિક કાર્યોમાં તથા યુદ્ધના આરંભમાં એમાં મોઢાની ફૂંક મારીને વગાડવામાં આવે છે. 'भेरी' નગારાને કહે છે (જે મોટાં નગારાં છે, એને નોબત કહે છે.) એ નગારાં લોઢાનાં બનેલા હોય છે અને ભેંસના ચામડાથી મઢેલાં હોય છે, તથા લાકડાના દાંડિયથી વગાડવામાં આવે છે. એ મંદિરોમાં અને રાજાના કિલ્લઓમાં રાખવામાં આવે છે. ઉત્સવ અને માંગલિક કાર્યોમાં એ ખાસ વગાડવામાં આવે છે. રાજાઓને ત્યાં એ દરરોજ વગાડવામાં આવે છે. 'पणव' ઢોલને કહે છે. એ લોઢા કે લાકડાનાં બનેલાં હોય છે અને બકરાના ચામડાથી મઢેલાં હોય છે, તથા હાથથી કે લાકડાના દાંડિયાથી વગાદવામાં આવે છે. એ આકારમાં ઢોલકી જેવાં હોવા છતાં પણ ઢોલકીથી મોટાં હોય છે. કાર્યના આરંભમાં પણવ વગાડવાને ગણપતિના પૂજન સમાન કલ્યાણ કરનારું માનવામાં આવે છે. 'आनक' મૃદંગને કહે છે, એને પખવાજ પણ કહે છે. આકારમાં એ લાકડામાંથી બનાવેલી ઢોલકી જેવું હોય છે. એ માટીમાંથી બનેલ હોય છે, ચામડાથી મઢેલ હોય છે અને હાથથી વગાડવામાં આવે છે. 'गोमुख' રણશિંગાને કહે છે. આકારમાં એ સાપ જેવું વાંકું હોય છે અને એનું મોઢું ગાયના જેવું હોય છે. એ મોઢાથી ફૂંકીને વગાડવામાં આવે છે.

'सहसैवाभ्यहन्यन्त' [૧] - કૌરવસેનામાં ઉત્સાહ ઘણો જ હતો. એટલા માટે પિતામહ ભીષ્મનો શંખ વાગતાંની સાથે જ કૌરવસેનાનાં બધાં વાજાં અનાયાસે જ એક સાથે વાગી ઊઠ્યાં. એમના વાગવામાં વાર ન લાગી અને એમને વગાડવામાં પરિશ્રમ પણ થયો નહિ.

'स शब्दस्तुमुलोङभवत्' - જુદાજુદા વિભાગોમાં, ટુકડીમાં ઊભેલી કૌરવ સેનાનાં શંખ વગેરે વાજાંઓનો અવાજ ઘણો ભયંકર થયો અર્થાત્ એમનો અવાજ ઘણા જોરથી ગૂંજતો રહ્યો.


[૧] - કર્મને અત્યંત સુગમતાપૂર્વકનું દર્શાવવા માટે જ્યારે કર્મ વગેરેને જ કર્તા બનાવવામાં આવે છે ત્યારે 'कर्मकर्तु' પ્રયોગ થયો કહેવાય છે. દા.ત. કોઇ લાકડું ફાડે છે, તો આ ફાડવાના કર્મને સહેલું દર્શાવવા માટે 'લાકડું ફડાઇ રહ્યું છે' એવો પ્રયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે અહીં 'વાજાં વગાડ્યાં' એવો પ્રયોગ હોવો જોઇએ; પરંતુ વાજાં વગાડવાનું સહેલું છે તેમ બતાવવા માટે અને સેનાનો ઉત્સાહ દર્શાવવાને માટે 'વાજાં વાગી ઊઠ્યાં' એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
શ્લોક માહિતી: 
સંબંધ - પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો એનું પરિણામ શું આવ્યું, એ વાત સંજય આગળના શ્લોકમાં કહે છે.

No comments:

Post a Comment