Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાનો આચરણ અભિગમ - ૫

ગીતાનો આચરણ અભિગમ -૫
આપણને સોને લાગે છે કે ક્રષ્ણ ભગવાનના ઉપદેશને કારણે જ અર્જુન યુધ્ધ રૂપી  પોતાના પવિત્ર કર્તવ્ય પાલનનો સ્પષ્ટ ઇનકાર કર્યા પછી પવિત્ર કર્તવ્ય કરવા તયાર થયો છે ,પણ  તે બાબતે ચિંતન અને મનન કરતા લાગે છે, કે જ્ઞાન અને પોતાના પવિત્ર કર્તવ્ય વચ્ચેનો સબંધ જો અર્જુને જાણ્યો જ ન હોત,  અને ક્રષ્ણ ભગવાનના વિશ્વરૂપ દર્શન દ્વારા પરમતત્વ પરમાત્માની મહત્તા જાણી ન હોત, અને એને પોતાને  પોતાની અલ્પતાનો અહેસાસ  થયો ન હોત,  અને પરમતત્વ પરમાત્મા પ્રત્યે અંતરમાં પૂજ્ય ભાવ અને નમ્રતા જો ઉત્પન્ન થયા જ ન હોત, તેમ જ  પોતે  અનાસક્ત ભાવ ,કર્તૃત્વ રહિતતા., અસંગતા,સ્થિત પ્રજ્ઞતામાં જો તે સ્થિર થયો ન હોત કે અહંકાર,રાગદ્વેષ અને મોહ રહિતતા  અંતરથી  પ્રાપ્ત કરી ન હોત,  અને પોતે જ આત્મા સ્વરુપ  છે, ને આત્માનું મૃત્યુ છે જ નહી તે જાણ્યું જ ન હોત, અને જયારે માણસ  શુધ્ધ બુદ્ધિ ,શુધ્ધ મન અને શુધ્ધ વાસના કરીને જગતમાં  કોઈ પણ કૃત્ય કરેછે ત્યારે તેને  પાપ લાગતું જ નથી,તે વાતની તેને સ્પષ્ટ પ્રતીતિ થઇ ન હોત અને માણસને પોતાના  જીવનમાં પોતાની  પવિત્ર ફરજ અદા કરવાની પવિત્ર ફરજ બને છે, તે જાણ્યું જ ન હોત અને પાછુ પોતાના પક્ષે સત્ય છે,તેનો અંતરથી વિચાર જ કર્યો  ન હોત તો અને આ બધા શરીરતો મરણ ધર્મા જ  છે,તેને શુધ્ધ બુદ્ધિથી મારવાથી પાપ લાગતું નથી  આવા જો અનેક  આંતરિક ભાવો પોતાના અંતરમાં  ઉત્પન્ન થયા જ  ન હોત તો અર્જુન યુધ્ધમાં લડવા માટે તયાર  થયો જ ન હોત તે સો ટકા સત્ય હકી કારણકે તે એટલો બધો મોહાંધ થઇ ગયો હતો, તત્વજ્ઞાનની વાતો કરવા માંડ્યો  હતો એટલે માત્ર ,માત્ર સમજણથી તયાર  થયો નથી, પણ અંતરના જ્ઞાનને કારણે જ  તયાર   થયો છે. . ,
આવા બધા  ભાવો અંતરમાં ઉત્પન્ન થવાથી જ હું  કોઈને મારતો નથી. તેવી અંતરની સ્પષ્ટ પ્રતીતિ થતા જ અર્જુન લડવા માટે તયાર  થયો છે, અર્જુનને પોતાના અંતરમાંથી જ્ઞાન પ્રાપ્ત  થયું છે .આમ જીવન યોગની સમજણ થી અને આ બધી જ હકીકત  જાણવાથી  અજ્ઞાન નાબુદ થયું છે, ને જ્ઞાનમાં સ્થિર થયો છે, જેનું પરિણામ નિષ્કામ ભાવથી અર્જુન યુધ્ધ કરે છે,આજ સત્ય હકીકત છે ,
આ બધું જ  જ્ઞાન તેને  કર્મ યોગ,જ્ઞાન યોગ , ભક્તિયોગ અને યોગના સમન્વય દ્વારા જ અર્જુન ને પ્રાપ્ત થયું છે,એટલે કે ગીતાના” જીવન યોગની” પુરેપુરી અર્જુનને  સમજ થતા જ જ્ઞાન પ્રાપ્ત થતા જ તે લડવા માટે તયાર  થયો છે, અને તે પોતે  અનાસક્ત ભાવમાં, સ્થિત પ્રજ્ઞમાં, અકતૃત્વ,અસંગતતા  અને અલિપ્તતા વગેરે  ભાવોમાં  સ્થિર થઈને લડે છે.અને લડતી વખતે પોતે સ્થિત પ્રજ્ઞામાં સ્થિર થયેલો છે, તે તેની પુરેપુરી એકાગ્રતા બતાવે છે ,અને વીજય  હાસલ કરે જ છે.એજ તેની વિશેષતા છે, તેમાં પાછું  તેની સાથે સત્ય છે, અને પરમતત્વ પરમાત્માનો સાથ અને સહકાર  છે.પરમાત્મા જ  તેના સારથી છે, એ વાત ભૂલવા જેવી નથી, હંમેશા સારથીનું કામ દોરવણી અને માર્ગદર્શન આપવાનું હોય છે,અને તે જ હંમેશા જીવન સંગ્રામમાં દોરે છે ને બચાવે પણ છે,,
આપણા જીવન સંગ્રામમાં આપણી સાથે પરમ તત્વ પરમાત્મા નથી, તેવું માનશો નહી,  આપણો પરમાત્મા સારથી નથી તેવું વિચારશો નહી, આપણી સાથે પણ પરમતત્વ  પરમાત્મા આત્મા રૂપે આપણી સાથે જ હંમેશા નિરંતર છે,તેજ આપણો સત્ય રૂપી સારથી પણ છે, તેજ આપણને સત્યના રસ્તે નિરંતર  દોરે છે, ને આપણને ઉડા ખાડાંમાં પડતા બચાવે છે,  આ આપણા જીવનમાં  ભૂલવા જેવી બાબત નથી, આ માટે જરૂરી  છે, આપણે આપણી  બુધ્ધી સાધના દ્વારા શુદ્ધ કરીને આત્માને અંતરથી જાણીને આત્માના  અવાજ પ્રમાણે ચાલવાની., આ માટે આપણે આપણા અહંકારને ઓગાળવો પડે છે,તો જ  આત્માનો અવાજ સંભળાય છે અને આ આત્માના અવાજ પ્રમાણે  જ ચાલવાથી પરમાત્મા આપણને આપણા જીવન સંગ્રામમાં પણ વિજય અપાવે જ તેમાં કોઈ શંકા કરવાનું કારણ જ નથી, કારણ કે આત્મા એજ પરમાત્મા છે, ને તે જ સત્ય છે, અને તેનો અવાજ હંમેશા સત્ય જ હોય ,અને સત્યના અવાજ પ્રમાણે ચાલવાથી વિજય થાય જ તેમાં શંકા કરવાનું કોઈ કારણ નથી.તે તો આ જગતનો શાશ્વત નિયમ છે.,
ગીતાની આખી  વિશેષતા એ છે, કે તેમણે બધા જ માર્ગમાંથી  સારા સારા તત્વો  લઈને તેનું સંકલન અને સમન્વય કરીને “ જીવન યોગની “વાત રજુ  કરી છે,તે સંપૂર્ણ પણે જીવન જીવવામાટે અને જ્ઞાનની પ્રાપ્તિ  માટે” જીવન યોગ “ છે આ યોગ ગીતાએ પોતા દ્વારા પ્રતિપાદિત કર્યો છે,ગીતા એ આની કોઈ  ધર્મ તત્વ  સાથે જરા પણ તુલના કરી જ નથી કે સરખામણી કરી નથી ,આં તેની એ વિશેષતા છે, કારણ કે તે પૂર્ણ છે અને જગતમાં  પૂર્ણતા દ્વારા જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. ને પૂર્ણતા માથી પૂર્ણતા કાઢી લેવામાં આવે તો પૂર્ણ જ બચે છે તે શાશ્વત નિયમ છે .
આમ ગીતાનો જીવન યોગ  સત્ય ધર્મની  વિશેષતા વાળો છે, સર્વ ગુણ સંપન્ન, પૂર્ણ છે અને  ઉત્તમોત્તમ ગુણોથી સભર છે,.તે તેની અદભુતતા છે,, ગીતાનો ધર્મ ચીલા ચાલુ રીતે ચાલતો નથી, તેજ તેની વિશેષતા છે, ને તે સર્વોત્તમતા  છે,ને હંમેશા આચરવા યોગ્ય છે, તેમાં કોઈ શક  નથી.જો માણસ આનું આચરણ શુદ્ધ બુધ્ધિ થી કરે અને  સત્યને અને અંતરને સાથે રાખે તો  અજ્ઞાન આબુદ થાય ને જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને જ તે છે” જીવન યોગ ની સિદ્ધિ,” ,પણ આપણે આચરણ કરવું નથી ને બધું જોઈએ છે, તે આ જગતમાં શક્ય જ નથી.. આ જગતમાં પુરુષાર્થ વિના કાઈ મળતું જ નથી તે જગતનો શાશ્વન નિયમ છે, માટે પથરાની મૂર્તિ પાસે આજીજી ન કરાય પણ સત્યતા પૂર્વક શુધ્ધ બુદ્ધિથી પુરુષાર્થ કરવા લાગી જવાય તો જ સિદ્ધિ હાથમાં આવે છે. ધરે બેઠા રહેવાથી કે જપ કર્યા કરવાથી  કાઈ પ્રાપ્ત થાય નહી સિવાય ચિંતા અને તનાવ ,,
ગીતાની વિશેષતા એમાં છે, તેમણે જે જે પરંપરા ગત તત્વો નો જ્યાં જ્યાંથી ઉપાડેલ  છે ,તેમાં કાતો  નવીન અર્થ સાથે તે તત્વ જીવન યોગમાં મુક્યા છે, અથવા તો તે તત્વને ગીતાએ  નવીન અર્થ કરીને જીવન યોગમાં સામેલ કરેલા  છે, ને  આ રીતે ગીતાએ  પોતાના વિચાર સાથે તત્વોને  સંકલિત કરેલ છે,અને સમન્વિત કરેલ છે, એમ નામ કોઈ વસ્તુ કોઈ ધર્મની લીધી નથી,ગીતાએ  નવા શબ્દોથી તત્વો રજુ કરેલ છે, આમ ગીતા નવા વિચારો  નવા શબ્દો વાપરવામાં મહારથી છે, તે તેની વિશેષતા જ છે , જે માનો એક શબ્દ છે, સ્થિત પ્રજ્ઞ આ શબ્દ જગતના કોઈ શાસ્ત્રમાં જોવા મળતો નથી, આ સ્થિત પ્રજ્ઞાને સમજાવવા   ગીતાએ બીજા અઢાંર. શ્લોકો રજુ કર્યા છે. આવા અનેક નવા વિચારો ગીતામાં રજુ કરવામાં અને વાપરવામાં ગીતા પારંગત છે.તે જોઈ શકાય છે.આ રીતે ગીતાએ નવા તત્વો આત્મ સાત કરેલા છે,
આપણે જોઈએ તો વેદિક કર્મ કાંડ ,ક્રિયાકાંડ અને યજ્ઞ ભાવના ગીતાના જીવન યોગમાં ભેળવીને  તેનું એક આવશ્યક અને ઉજ્વળ પાસું બને છે.તેમાં કોઈ પણ જાતના  બહ્યાચારને કોઈ જ  સ્થાન નથી, પણ તેમાં ગીતાએ અંતરને જોડેલ છે,એજ તેની વિશેષતા છે , આજ રીતે ઉપનીશદની નિવૃતિની ભાવના ગીતામાં કર્મની નિવૃત્તિ નહી પણ કર્મમાં  કામના, વાસના, તૃષ્ણા, આશા ,અપેક્ષા રાગદ્વેષ,અને અહંકાર વગેરેથી નિવૃત્તિ એટલે કે ફ્લાષા છોડીને કર્મ કરતા જ રહેવાનો વિચાર ગીતાનો પોતાનો છે, કોઈનો ઉછીનો લીધેલો નથી  એટલે આખી ગીતામાં ક્યાય પણ સ્વમત અને પર મતના  ભેદો ઉભા થયેલા જોવા મળતા  નથી.
ગીતાએ જે જે તત્વોનો ઉલ્લેખ કર્યો તેણે આત્મ સાત કરેલ છે, જેમાં વેદાંત, સાંખ્ય અને પાતંજલ યોગ અને મીમાંસા આદિના ઉમદા તત્વો જીવન યોગમાં સમાવેશ કરેલા છે, આમ ગીતાનો ધર્મ સમન્વય ધર્મ છે. એમ પ્રતીત થાય છે. એટલું સ્પષ્ટ સમજી જ લ્યો કે ગીતા આજના કોઈ પણ ચાલુ ચીલે ચાલતા ધર્મનું  વાહન બનવા તયાર  નથી, એ પણ સ્પષ્ટ હકીકત છે.પોતે પોતાની રીતે ધ્યાન યોગનો વિકાસ કરેલો છે, જેને જ જીવન યોગ કહ્યો છે. યોગ  એટલે જોડાવું અને જોડાવું એટલે પરમ તત્વ  પરમાત્મા સાથે જોડાવું આં ગીતાનો જીવન યોગ પરમાત્મા સાથે  જોડે છે, તે તેની વિશેષતા છે, કારણકે માણસ ધ્યાન યોગ દ્વારા સમાધિ સુધી પહોચી શકે છે. ને સમાધી અવસ્થા એજ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ અને પૂર્ણતા છે. પછી જીવનમાં કઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેવા પામતું જ નથી, આ અવસ્થા જીવન યોગ  દ્વારા પ્રાપ્ત થાય છે તે જ તેની વિશેષતા છે. .
ગીતાએ માણસની કામનાઓના સમૂળગા નાશની વાત  જીવન યોગમાં કરી નથી પણ એજ કામનાઓને વિસ્તૃતી કરણ  દ્વારા નિષ્કામ બનાવેલ છે,. અહી જ ગીતાની  સ્વ મતની  પુષ્ટિ પ્રદર્શિત થાય છે અને  ગીતાએ જે રજૂઆત કરેલ છે, તે પદ્ધતિ સર્વ સ્પર્શી મૃદુ અને ઓછી ખંડનાત્મક છે, અને આ બધું જ ગીતાનો  પોતાનો  સ્વ મત છે.કોઈનો  ઉછીનો લીધેલો કોઈ મત નથી ,કે વિચાર નથી  આવી વિશાળ દ્રષ્ટિ અને સમજ ગીતાના શબ્દે શબ્દે  નીતરી રહી છે. તેમાં કોઈ શંકા કરી શકે તેમ નથી,  આથી જ લાગે છે કે ગીતા કાર ક્રષ્ણ ભગવાનને  જ્ઞાન ,કર્મ,ભક્તિ અને યોગનો સમન્વય પૂરે પૂરો અભિપ્રેત છે, અને તેથી જ તેમનો જીવનયોગ વધુ પુષ્ટ બને છે. આથી જ કોઈ પણ જાતના ધાર્મિક વિવાદોને ટાળવા માટે જ  સમન્વય મત ગીતાએ રજુ કરેલ છે ,અને આ સમન્વય એ ગીતાનો પોતાનો મત છે.આમ ગીતા સ્વયંભુ વિચાર દર્શાવતું જગતન મહામુલું રત્ન  છે.  
આમ ગીતા કોઈ યુગની ,કોઈ ધર્મની ,કોઈ જાતિની ,કોઈ સાંપ્રદાયિક વિચારને પુષ્ટિ આપતી નથી,કે કોઈનું પણ વાહન બનવા માગતી જ નથી, તેતો પોતાના સત્ય  વિચાર સાથે ચાલે છે, ને  આપણને  આપણા પોતાના  સત્યને સાધના દ્વારા  શોધીને તે સત્ય પર ચાલવાનું એલાન કરે છે,બીજાનું સત્ય તે આપણું સત્ય કદી હોય શકે જ નહી તેમ ગીતા સ્પષ્ટ કહે છે,
ગીતાએ  સમગ્ર વિશ્વનું સર્વ કાલીન સર્વ હિતાય માનવ  શાસ્ત્ર છે, આથી જ માણસમાં પડેલી આધ્યાત્મિક વિકાસની શક્યતાઓ અને શક્તિઓને યોગ્ય અને સમતોલ રીતે  ,સત્યના માર્ગે દોરવા અને તેનું ઉર્ધ્વીકરણ કરવા  માટે જ ગીતાએ જ્ઞાન ,યોગ, ભક્તિ  અને નિષ્કામ કર્મનાં સમન્વય રૂપ” જીવનયોગ” કે :પૂર્ણ યોગ’  ગીતાએ ઉપદેશેલ છે,. તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી ,આજ ગીતાનો વિશાલ ધર્મ છે, જેમાં સકુચીત્તતા  કે સ્વાર્થની જરા પણ ગંધ નથી ટોટલી સત્ય આધારિત આધ્યાત્મિક તત્વને ઉજાગર કરનાર જીવન યોગની સાધના છે, જે સાધના કરવાથી માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, ને જ્ઞાનની  પ્રાપ્તિ એજ પરમ શાંતિ પરમ સુખ ને પરમ આનંદની  સ્થિતિ છે, જે ને ગીતાએ મોક્ષની પ્રાપ્તિ કહી છે, ને જન્મ મરણના ક્રમ માંથી મુક્તિ  છે, જે જગતના દરેક માણસની અંતિમ  ઈચ્છા જ મોક્ષ  પ્રાપ્ત કરવાની હોય જ છે, જેની સ્વસ્થતા પૂર્વક પુરતી ગીતા કરે છે, આમ ગીતાનું જ્ઞાન પૂર્ણ છે ને પુર્ણતાની પ્રાપ્તિ કરાવનાર છે .ચાલો આપણે તેને સત્યતા પૂર્વક અંતરથી અનુસરીએ અને પૂર્ણતા પ્રાપ્ત કરીએ .

No comments:

Post a Comment